બોલીવુડ સુપર સ્ટાર અક્ષયકુમારની માતા અરૂણા ભાટીયાનું આજે સવારે નિધન થયુ છે. અક્ષયકુમારની માતા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી. તે પછી તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયકુમારે સોશ્યલ મીડીયા થકી પોતાના ફેન્સ સાથે શેયર કરી છે.
અક્ષયકુમારે પોતાની માતાના નિધનના સમાચાર શેયર કરતા લખ્યુ છે કે આજે અસહનીય દર્દ અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતિ અરૂણા ભાટીયા આજે સવારે શાંતિ સાથે દુનિયાને છોડીને ચાલી ગઈ અને તે બીજી દુનિયામાં મારા પિતાને મળશે. મારા અને મારા પરિવાર પ્રત્યે હું આપ સૌની પ્રાર્થનાઓનું સન્માન કરૂ છું.
અત્રે નોંધનીય છે કે અક્ષયની માતા બિમાર પડતા અક્ષય વિદેશથી શૂંટીગ છોડી મુંબઈ પાછો ફર્યો હતો. જો કે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે અક્ષયની માતાને હકીકતે કઈ બિમારી હતી.
