ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌશાળા પાસે ગઈકાલે મોડી રાત્રીના ૯ મહિનાના બાળકને કોઈ ત્યજીને જતુ રહેતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૨ વ્યકિતઓની પૂછપરછ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યકિતઓની ઓળખ માટે નિવેદનો લેવાયા છે. બાળકને મુકી જનાર શખ્સનો સ્કેચ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. એલસીબી, એસઓજી સહિત ૬ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફુટેજના આધારે પ્રત્યેક ટીમના ૬ પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરી છે.
આ બાળક વિશે માહિતી હોય તો ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડા મો. ૯૯૭૮૪ ૦૫૦૭૦, નાયબ પોેલીસ અધિક્ષક એમ.કે. રાણા મો. ૯૭૨૬૦ ૦૦૧૫૦, પી.આઈ. એસ.એસ. પવાર મો. ૯૪૨૬૮ ૩૧૧૯૯, પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ફોન નં. ૦૭૯ ૨૩૨૧૦૧૦૮, ફોન ૨૩૨૧ ૦૯૧૪ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
