June 22, 2026
ગુજરાત

રાત્રીના સમયે ૯ મહિનાના બાળકને ત્યજીને જતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌશાળા પાસે ગઈકાલે મોડી રાત્રીના ૯ મહિનાના બાળકને કોઈ ત્યજીને જતુ રહેતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૨ વ્યકિતઓની પૂછપરછ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યકિતઓની ઓળખ માટે નિવેદનો લેવાયા છે. બાળકને મુકી જનાર શખ્સનો સ્કેચ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. એલસીબી, એસઓજી સહિત ૬ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફુટેજના આધારે પ્રત્યેક ટીમના ૬ પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરી છે.

આ બાળક વિશે માહિતી હોય તો ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડા મો. ૯૯૭૮૪ ૦૫૦૭૦,                નાયબ પોેલીસ અધિક્ષક એમ.કે. રાણા મો. ૯૭૨૬૦ ૦૦૧૫૦,                                                          પી.આઈ. એસ.એસ. પવાર મો. ૯૪૨૬૮ ૩૧૧૯૯,           પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ફોન નં. ૦૭૯ ૨૩૨૧૦૧૦૮, ફોન ૨૩૨૧ ૦૯૧૪ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

Related posts

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – રાહુલ ગાંધી માનહાની કેસ મામલે આજે ફરી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

Ahmedabad Samay

દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા, અમદાવાદીઓથી રાજસ્થાનની હોટલો ફૂલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો