દિવાળી અને ધનતેરસ પહેલા મોંઘવારી ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારોને કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. આ ફેરફારો બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમત સુધીના હોઈ શકે છે. ચાલો જાણીએ આવા ૫ ફેરફારો વિશે જે આજથી લાગુ થશે.
બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ
જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી આજથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો ૩ વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે ૪૦ રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર ૧૦૦ રૂપિયા આપવા પડશે.
ફરી એકવાર વધ્યા રાંધણ ગેસના ભાવ
તેલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એવું જોવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડરની કિંમતો સતત વધી રહી છે. આવી સ્થિતિમાં આ વખતે પણ ગેસ સિલિન્ડરની કિંમતો વધી શકે છે. જોકે કિંમતો વધી છે.
