March 23, 2026
ગુજરાત

સલામત સવારી AMTSની અડફેટ આવતા છ વર્ષમાં 52ના મોત થયા, 1500થી વધુ અકસ્માત

અમદાવાદની સૌથી જૂનો ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી એએમટીએસના કારણે અવાર નવાર અકસ્માતોની ઘટના બનતી રહી છે. ત્યારે છેલ્લા 6 વર્ષના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં 1500થી વધુ અકસ્માતોમાં 52 લોકોના મોત નિપજ્યા છે. ગમખ્વાર રીતે કેટલાક ડ્રાઈવર એએમટીએસ હંકારતા હોવાથી આ નોબત આવી છે. રોડના ભાગે ટ્રાફીક વચ્ચે એએમટીએસ પસાર થતી હોય છે ત્યારે સ્પીડમાં કે ગફલતભરી રીતે ચલાવાતા આ અકસ્માતો નડી રહ્યા છે. કેટલાક ડ્રાઈવર ચોક્કસથી પુરતી કાળજી રાખે પરંતુ કેટલાક સંજોગોમાં અકસ્માતોમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. અગાઉ એક ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં પણ ઝડપાયો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. એએમટીએસ બસ દ્વારા વર્ષ પ્રમાણે બનેલી અકસ્માતની ઘટનાઓમાં સૌથી વધુ અકસ્માતો 2017-18માં 397 અકસ્માતો થયા છે.

વર્ષ પ્રમાણે અકસ્માતની ઘટના 
2017-18 – 397

2018-19 – 327

2019-20 – 303

2020-21 – 107

2022-23 – 217

4 વર્ષમાં બીઆરટીએસના અકસ્માતના કારણે 12 લોકોના મોત
એક તરફ એએમટીએસ મોટી ખાદ ખાઈ રહી છે ત્યારે અકસ્માતની ઘટનાઓ બીઆરટીએ કરતા પણ વધુ જોવા મળી રહી છે. 4 વર્ષમાં બીઆરટીએસના કારણે પણ 12 જેટલા લોકોના મોત થયા છે.

બીઆરટીએસમાં અકસ્મત દરમિયાન મોતના બનાવો 
2020 – 2ના મોત
2021 – 5 ના મોત
2022 – 4ના મોત
2023 – 1નું મોત
3 મહિનામાં આગના 3 બનાવ

Related posts

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો