February 5, 2026
ગુજરાત

PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર ડાઉનલોડ થવાના થયા શરૂ, આ રીતે કરો કોલ લેટર ડાઉનલોડ

રાજ્યમાં આગામી તારીખ 3જી ડિસેમ્બરથી LRD અને PSI ની પરીક્ષાની શારીરિક કસોટી યોજાવા જઇ રહી છે. ત્યારે આજ રોજ PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર જાહેર થવાના હતાં. ત્યારે આજ સાંજ સુધી કોલ લેટર ડાઉનલોડ કરવામાં ઉમેદવારો ચિંતામાં મૂકાઇ ગયા હતાં. કારણ કે OJAS પર કોલ લેટર ડાઉનલોડ થવાનો કોઇ વિકલ્પ જ ન હોતો. પરંતુ અંતે હવે OJAS પર તેના કોલ લેટરો ડાઉનલોડ થઇ રહ્યાં છે.કેવી રીતે તમે હવે OJAS પરથી તેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા તારીખ 18 નવેમ્બરના રોજ એક ટ્વિટ કરવામાં આવ્યું હતું કે જેમાં તેઓએ કહ્યું હતું કે, ‘પોલીસ ભરતીની શારીરિક કસોટી 3જી ડિસેમ્બરથી શરૂ થશે. 26 નવેમ્બરથી OJAS વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. માહિતી માટે લોકરક્ષક તથા PSI ભરતી બોર્ડની વેબસાઇટ જોતા રહેવું.

કોલલેટરને OJAS પરથી ડાઉનલોડ કરવાની રીત

હવે અહીંયા ડાયરેક્ટ આ લિંક પર ક્લિક કરો.
સિલેક્ટ જોબ પસંદ કરો.
નીચેના ખાનામાં કન્ફર્મેશન નંબર એન્ટર કરો.
બર્થ ડેટ એન્ટર કરો.
હવે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરો.

ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડર (LRD) ની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવાઈ હતી. જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. જેમાંના 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ કરવામાં આવી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યાઓ માટે ભરતી થશે.”

Related posts

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો