February 6, 2026
ગુજરાતરાજકારણ

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી : પરેશ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને ‘આપ’ના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સ્‍કૂટર રેલી, લોકસંપર્ક, જાહેરસભાઓ કરીને ભાજપની કેન્‍દ્ર અને રાજય સરકાર સામે વિવિધ મુદ્દે આક્રોશ ઠાલવી રહ્યા છે અને ‘સ્‍વાભિમાન યુધ્‍ધ’ અંતર્ગત જાહેરસભાએ ગજવે છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે, દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી દીધી છે તેમજ દરરોજની જીવન નિર્વાહની ચીજોના ભાવો આસમાને પહોંચાડી દીધા છે. દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્‍તુઓમાં ભાવ વધારીને આ ભાજપ સરકાર ધોળે દિવસે લૂંટ ચલાવી રહી છે.

ત્‍યારે આમજનતા તેમજ ગૃહિણીઓ આર્થિક રીતે આ મોંઘવારીનો ભાર સહન કર્યે જાય છે છતાં પણ હાલની ચૂંટાયેલી સરકાર ભાવ વધારાથી લોકોની તકલીફ પ્રત્‍યે ધ્‍યાન આપતી નથી.

દેશમાં દિન પ્રતિદિન લોકોની આવક ઓછી થતી જાય છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્‍યારે રાજકોટ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી એ મોંઘવારી મુદ્દે રાજકોટમાં એક જાહેરસભામા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

પરેશભાઇ ધાનાણી આજે સવારના ૮ વાગ્‍યાથી રાજકોટ લોકસભા મત વિસ્‍તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી આજે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, કેરાળા, જેતપરડા, પલાસાડી, સરધારકા, ગાંગીયાવદર, કાછીયાગાળા, દલડી, દિઘલીયા, પાજ, ગારીયા, લીંબાળા, કોઠી, ભલગામ, મેસરીયા, સતાપર, સમઢીયાળા, ગારીડા, મહિકા, જોધપર સહિતના ગામોના પ્રવાસે છે.

Related posts

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો