March 27, 2026
ગુજરાતધર્મ

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

ગુજરાતના તમામ જિલ્લાઓની મસ્‍જિદો ઉપર લાઉડ સ્‍પીકરો ચડાવી વહેલી સવારથી રાત્રે સુધી પાંચ-પાંચ વખત નમાજની અજાન દ્વારા ધ્‍વનિ પ્રદૂષણ તેમજ લોકપ્રજામાં પરેશાની ઉભી થઈ છે. આ લાઉડ સ્‍પીકર પર કેટલા પ્રમાણમાં અવાજ રાખવો તેનું નિયંત્રણ નથી ત્‍યારે ધ્‍વનિ પ્રદૂષણ અને લોક પ્રજાને ધ્‍યાને લઈ ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેનાના અધ્‍યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાત ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત મંત્રાલયમાં વિષયને ગંભીરતાથી લઈ યોગ્‍ય હુકમ ફરમાવવા પણ આગ્રહ રાખ્‍યો છે. આ મુદ્દે જામનગર હિન્‍દુ સેનાના ગુજરાત અધ્‍યક્ષ પ્રતિક ભટ્ટે ગૃહ મંત્રાલયમાં રજૂઆત કરી છે.

ઘોંઘાટ ઉત્‍પન્ન કરતાં અને નીપજાવતા સ્ત્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્‍વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો- ૨૦૦૦ નું તા. ૧૪ મી ફેબ્રુઆરી- ૨૦૦૦ નું જાહેરનામું પ્રસિદ્ધᅠ કરાયેલ છે જેમાં તા. ૧૧-૧-૨૦૧૦ ના રોજ નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્‍વનિ પ્રદૂષણ નિયમો- ૨૦૦૦ અન્‍વયે ધ્‍વનિની માત્રાનાં ધોરણો નક્કી કરવામાં આવેલ છે જેનો સરકાર શ્રી દ્વારા દિવસથી રાત્રી દરમિયાન અને રાત્રીથી દિવસ દરમિયાન ડેસીબલ નક્કી કરેલ છે.

જાહેર સ્‍થળોનો કબજો ધરાવનાર દ્વારા લાઉડ સ્‍પીકર સિસ્‍ટમનો તથા અન્‍ય સાધનોથી ઉત્‍પન્ન થતા અવાજની માત્રા જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતા ૧૦ ડીબી (એ) થી વધવી ન જોઈએ.૧ અને ખાનગી સ્‍થળે થતી કાર્યવાહીના કારણે જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતા ૫ ડીબી(એ)થી વધવી ન જોઈએ તેઓ પ્રતિબંધ મૂક્‍યો છે અને કોઈને તકલીફ ન પડે તેમજ ધ્‍વનિ પ્રદૂષણ ન થાય તેની તાકીદ રાખવા પણ હુકમ થયેલ જે અંતર્ગત તમામ મસ્જિદો માંથી લાઉડસ્પીકર ઉતારવા માંગ કરવામાં આવી છે.

Related posts

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા તેમનો પાંચમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો