અમદાવાદ શહેરમાં યોજાતો ડિસેમ્બર મહિનાના અંતનો સૌથી મોટો કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. અમદાવાદમાં દર વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાતો કાંકરિયા કાર્નિવલ આ વર્ષે કોરોનાના વધતા સંક્રમણના કારણે યોજાશે નહિ
કોરોના મહામારી વચ્ચે એએમસી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે કે કોરોના સંક્રમણ ધ્યાને રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી. રાજ્ય સરકારની ગાઇડલાન મુજબ ભીડ ન કરવા સુચના અપાઇ છે. તેવામાં અમદાવાદ શહેરમાં અટલ બિહારી વાજપેયીના જન્મ જંયતિ નિમિત્તે યોજાતો કાંકરિયા કાર્નિવલ મહામારી વચ્ચે યોજાશે નહીં
