કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ફરી એકવાર વધવાનું જોખમ ઉભું થયું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સંક્રમણ પાછું વધ્યું છે તો ગુજરાતમાં પણ ચુંટણીના વાતાવરણ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી સંક્રમિતોની સંખ્યા વધી છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરીથી લોકડાઉંન કરવાની જરૂર પડી છે, કોવિદ -19 કેસની સંખ્યા વધી જતા નિર્ણય લેવાયેલો છે, શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવારે ૦૭ વાગ્યા સુધી લોકડાઉંન અમલી કરવામાં આવ્યું છે.૨૮ ફેબ્રુઆરી સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે
ગુજરાતના ચેસ્ટ ફીઝીશ્યન તથા ગુજરાત ચેસ્ટ ફીઝીશ્યન એસોસીનેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું કે, નવો સ્ટ્રેન ઝડપથી ફેલાય છે અને વધારે લોકોને અસર કરે છે. જો કે તે જીવલેણ નથી. રસીનો ઉપયોગ નવા સ્ટ્રેન સામે પણ કરી શકાય છે. અત્યારે ડબલ ઋતુમાં શરદી – ઉધરસ થઇ હોય અને ઘરેલુ ઉપચારથી જો બે-ત્રણ દિવસમાં ન મટે તો કોરોનાનું ટેસ્ટીંગ કરાવવું જોઇએ
