February 5, 2026
ગુજરાત

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

મધ્યપ્રદેશ સરકારે કોરોના મહામારીના કારણે લગાવેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે. પોઝિટિવિટી રેટ પણ એક ટકાથી ઓછો થઈ ચૂકયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મધ્ય રાત્રિથી નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હટાવી દેવાયા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, કોરોના પ્રતિબંધો હટાવ્યા હોવા છતાં તમામને મારી અપીલ છે કે, માસ્ક પહેરો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. હોળી, રંગપંચમી અને અન્ય આગામી તહેવારોમાં લાપરવાહ ના રહો.
બીજી તરફ, મહારાષ્ટ્રમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. આ કારણસર મહારાષ્ટ્ર સરકાર કોરોનાને લગતા પ્રતિબંધોમાં ઢીલ મૂકી શકે છે. ગુજરાતમાં કોરોના પ્રતિબંધોમાંથી નાગરિકોને રાહત મળી શકે છે. હાલમાં જ ગુજરાત સરકારે નાઈટ કર્ફ્યૂ ધરાવતા શહેરોમાં કર્ફ્યૂનો સમય ઘટાડયો હતો. હવે આ ગાઈડલાઈન ફેબ્રુઆરીના અંત સુધી જ રહે એવી શકયતા છે. ત્યાર પછી માર્ચની શરૂઆતમાં નવી ગાઈડલાઈન આવશે, જેમાં તમામ નિયંત્રણોમાંથી મુકિત મળી શકે છે.

Related posts

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

હરિઓમ વિદ્યાલય ખોખરા મણિનગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો