May 7, 2026
ગુજરાત

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

મધ્યપ્રદેશ સરકારે કોરોના મહામારીના કારણે લગાવેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે. પોઝિટિવિટી રેટ પણ એક ટકાથી ઓછો થઈ ચૂકયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મધ્ય રાત્રિથી નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હટાવી દેવાયા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, કોરોના પ્રતિબંધો હટાવ્યા હોવા છતાં તમામને મારી અપીલ છે કે, માસ્ક પહેરો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. હોળી, રંગપંચમી અને અન્ય આગામી તહેવારોમાં લાપરવાહ ના રહો.
બીજી તરફ, મહારાષ્ટ્રમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. આ કારણસર મહારાષ્ટ્ર સરકાર કોરોનાને લગતા પ્રતિબંધોમાં ઢીલ મૂકી શકે છે. ગુજરાતમાં કોરોના પ્રતિબંધોમાંથી નાગરિકોને રાહત મળી શકે છે. હાલમાં જ ગુજરાત સરકારે નાઈટ કર્ફ્યૂ ધરાવતા શહેરોમાં કર્ફ્યૂનો સમય ઘટાડયો હતો. હવે આ ગાઈડલાઈન ફેબ્રુઆરીના અંત સુધી જ રહે એવી શકયતા છે. ત્યાર પછી માર્ચની શરૂઆતમાં નવી ગાઈડલાઈન આવશે, જેમાં તમામ નિયંત્રણોમાંથી મુકિત મળી શકે છે.

Related posts

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

Ahmedabad Samay

બુલેટ ટ્રેનનું સાબરમતી નદી ઉપરાંત, નર્મદા, તાપી અને મહી જેવી મોટી નદીઓ પર પણ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો