April 12, 2026
ગુજરાત

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

અમદાવાદ શહેરમાં નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી છે.રહેણાંક મકાનમાં આગથી 2 લોકોનાં મોત થયા છે. એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.મકાનનાં પહેલા માળે ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ આગ લાગી હતી. ત્યારબાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ બાદ એક યુવક દાઝેલી હાલતમાં ઘરમાંથી બહાર આવ્યો હતો. જેને 108 એમ્બુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ફાયર બ્રિગેડનાં જવાનોએ આગને કાબુમાં લીધી છે. બ્લાસ્ટ થતા આગ ઓલવવાનો પ્રયત્ન કરતી મહિલા પણ દાઝી ગઈ છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 22 વર્ષીય યુવક મહેવીશ નરેશ સોલંકી તથા 19 વર્ષીય લાલો સોલંકીનું મોત થયું છે. જ્યારે 42 વર્ષીય ભારતી નામની મહિલા ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.

Related posts

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળી મોટી સફળતા, LPG ગેસના ટેન્કરમાં ભરેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો