અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્યો છે. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ તથા મ્યુનિસિપલ શાળાઓને તાકીદે સુચના આપવામાં આવી છે.
શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે એએમસી એલર્ટ જોવા મળી રહી છે. AMCએ તાત્કાલિક શહેર, જિલ્લા, મ્યુનિસિપલ શાળાઓને તાકીદ કરી છે કે બાળકોમાં જો ઓરી રોગના લક્ષણ દેખાય તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે મોકલી તાત્કાલિક રજા આપી દો. સાથે જ વાલીઓને અપીલ કરી છે કે જે બાળકોને ઓરી થયા છે તેઓ જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ના મોકલે.
