રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરના માલાખેડાની રેલીના મંચ પરથી એક મોટી જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડે અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓની હાજરીમાં કરી હતી.
અલવર જિલ્લાના માલાખેડામાં તમામને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે અમે એક કેટેગરી બનાવી રહ્યા છીએ. આ કેટેગરીમાં લોકોને 1,050 રૂપિયાનો ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. સિલિન્ડર એપ્રિલથે રાજ્યમાં મળશે. આગામી મહિને અમે બજેટ રજૂ કરીશું, તેમાં રસોઇ ગેસનો બોજો ઓછો કરવા માટે કીટ વહેચવાની યોજના લાવીશું.
તેમણે કહ્યું કે પહેલાં ઇનકમ ટેક્સ, ઇડીથી લોકો ડરતા હતા, હવે તે પોતે ડરેલા છે. દેશમાં લોકતંત્રના મૂળિયા નબળા પડી ગયા છે. રાહુલ ગાંધી એક હેતુ લઇને ચાલે છે. આઝાદી બાદ આ પ્રથમ ભારત જોડો યાત્રા છે. આખો દેશ મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત છે. ERCP ને અમે કોઇપણ ભોગે બંધ કરીશું નહી. તેને રાષ્ટ્રીય યોજનાનો દરજ્જો અપાવવા માટે અમારી લડાઇ ચાલુ રહેશે.
