March 24, 2026
ગુજરાતઅપરાધ

ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એરંડાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા એરંડાની ચોરી થવાની ઘટના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા. કુલ 4 આરોપીઓએ મળીની 3 ગામની સીમમાં એરંડાની ચોરી કરી હતી.

…સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને લખતર તાલુકાના કારેલા અને અંકેવાળીયા તથા ધ્રાંગધ્રાના જસાપર ગામની સીમમાંથી એરંડાની ચોરી થઇ હતી. આ બાબતે એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીની સુચનાથી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં મુળ ગેડીયા ગામના નસીબખાન હુશેનખાન જત મલેક તથા ઝેઝરી ગામે રહેતો સોહિલખાન અજીતખાન જતમલેકને પોલીસે પકડી લીધા હતા. પુછપરછમાં તેમણે ઇંગરોળીના સીરાજ રહીમખાન જતમલેક અને માલવણના અબદુલ્લખાન દિલાવરખાન જત મલેકે સાથે મળીને કારેલા, અંકેવાળીયા અને જસાપરની સીમમાં એરંડાની ચોરી કરી હતી. તેમાં સીરાજખાનની ગાડી લઇને એરંડાની ચોરી કરવા ગયા હતા. આ કેસમાં સીરાજ રહીમખાન ગુજસીકોટના ગુનાનો આરોપી છે અને પેરોલ જંપ કરેલો છે. આરોપીઓએ એરંડા વેચીને મેળવેલા રૂ.49 હજાર પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીની ટીમે નાશતા ફરતા વધુ બે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

Related posts

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

admin

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો