June 23, 2026
ગુજરાતઅપરાધ

ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એરંડાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા એરંડાની ચોરી થવાની ઘટના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા. કુલ 4 આરોપીઓએ મળીની 3 ગામની સીમમાં એરંડાની ચોરી કરી હતી.

…સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને લખતર તાલુકાના કારેલા અને અંકેવાળીયા તથા ધ્રાંગધ્રાના જસાપર ગામની સીમમાંથી એરંડાની ચોરી થઇ હતી. આ બાબતે એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીની સુચનાથી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં મુળ ગેડીયા ગામના નસીબખાન હુશેનખાન જત મલેક તથા ઝેઝરી ગામે રહેતો સોહિલખાન અજીતખાન જતમલેકને પોલીસે પકડી લીધા હતા. પુછપરછમાં તેમણે ઇંગરોળીના સીરાજ રહીમખાન જતમલેક અને માલવણના અબદુલ્લખાન દિલાવરખાન જત મલેકે સાથે મળીને કારેલા, અંકેવાળીયા અને જસાપરની સીમમાં એરંડાની ચોરી કરી હતી. તેમાં સીરાજખાનની ગાડી લઇને એરંડાની ચોરી કરવા ગયા હતા. આ કેસમાં સીરાજ રહીમખાન ગુજસીકોટના ગુનાનો આરોપી છે અને પેરોલ જંપ કરેલો છે. આરોપીઓએ એરંડા વેચીને મેળવેલા રૂ.49 હજાર પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીની ટીમે નાશતા ફરતા વધુ બે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

Related posts

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્ય બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન શરૂ થશે.

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો