November 17, 2025
Other

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

અમીર બનવા માટે કોઇ શોર્ટ કટ નથી. આ માટે ધીરજ અને લાંબા સમયની સાથે સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટની પણ જરૂર છે. માત્ર એક ક્‍લિકથી ગોલ્‍ડ, શેર માર્કેટ, મ્‍યુચ્‍યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકો છો. જો તમે દરરોજ થોડા પૈસા બચાવો છો અને તેને યોગ્‍ય જગ્‍યાએ રોકાણ કરો છો, તો તમે એક મોટું ફંડ બનાવી શકો છો. જો તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને મોટું જોખમ લેવા માંગતા નથી, તો તમે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. અહીં તમે SIP દ્વારા તમારી નાની બચતનું રોકાણ કરી શકો છો.

જો કરોડપતિ બનવું હોય તોતે ઘણુ આસાન છે.

તમારે રોજના ફક્‍ત ૧૦૦ રૂપિયા બચાવવા પડશે. અને SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. મ્‍યુચ્‍યુઅલ ફંડનું સરેરાશ વળતર ૧૨ ટકા જેટલું છે. જોકે, મ્‍યુ. ફંડના વળતરમાં વધઘટ થતી રહે છે, પણ જો તમે લાંબા સમય સુધી મ્‍યુચ્‍યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. તમે રોજના ૧૦૦ રૂપિયાની બચત કરીને થોડા વર્ષોમાં તમારી જાતને કરોડપતિ બનાવી શકો છો.

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને કેવી રીતે કરોડપતિ બની શકાય એ જાણીએ. તમારે રોજના ૧૦૦ રૂપિયા બચાવવાના છે. એ હિસાબે તમે દર મહિને ૩૦૦૦ રૂપિયા બચાવશો. દર મહિને મ્‍યુચ્‍યુઅલ ફંડ SIP (સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન) માં આ ૩૦૦૦ રૂપિયાનું રોકાણ કરો. વર્ષે તમે ૩૬,૦૦૦ રૂપિયાનું રોકાણ કરશો. SIP કેલ્‍કયુલેટર મુજબ, આ રીતે તમે ૩૦ વર્ષમાં ૧૦,૮૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરી લેશો.

હવે જો તમે મ્‍યુ. ફંડના સરેરાશ ૧૨ ટકાના વળતરનો હિસાબ માંડો છો તો તમને તમારા રોકાણ પર ૯૫,૦૯,૭૪૧ રૂપિયાનું વળતર મળશે. આ રીતે ૩૦ વર્ષમાં તમારા નાણા વધીને ૧,૦૫,૮૯,૭૪૧ રૂપિયા થઈ જશે અને તમે કરોડપતિ બની જશો કરોડપતિ.

Related posts

સાબરમતી નદીમા યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ નોટ વાંચી પોલીસ અચંબામાં પડી

Ahmedabad Samay

રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપ દ્વારા ફોર્મ ભરાયા, ચારે ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

હિતુ કનોડિયાની એક સાથે ત્રણ ગુજરાતી ફિલ્મો છૂટાછેડા ,માલિકની વાર્તા  અને તારો થયો થશે રિલીઝ, એક અનોખો રેકોર્ડ સર્જશે

Ahmedabad Samay

આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી માટે ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો