March 29, 2026
Other

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

અમીર બનવા માટે કોઇ શોર્ટ કટ નથી. આ માટે ધીરજ અને લાંબા સમયની સાથે સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટની પણ જરૂર છે. માત્ર એક ક્‍લિકથી ગોલ્‍ડ, શેર માર્કેટ, મ્‍યુચ્‍યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકો છો. જો તમે દરરોજ થોડા પૈસા બચાવો છો અને તેને યોગ્‍ય જગ્‍યાએ રોકાણ કરો છો, તો તમે એક મોટું ફંડ બનાવી શકો છો. જો તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને મોટું જોખમ લેવા માંગતા નથી, તો તમે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. અહીં તમે SIP દ્વારા તમારી નાની બચતનું રોકાણ કરી શકો છો.

જો કરોડપતિ બનવું હોય તોતે ઘણુ આસાન છે.

તમારે રોજના ફક્‍ત ૧૦૦ રૂપિયા બચાવવા પડશે. અને SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. મ્‍યુચ્‍યુઅલ ફંડનું સરેરાશ વળતર ૧૨ ટકા જેટલું છે. જોકે, મ્‍યુ. ફંડના વળતરમાં વધઘટ થતી રહે છે, પણ જો તમે લાંબા સમય સુધી મ્‍યુચ્‍યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. તમે રોજના ૧૦૦ રૂપિયાની બચત કરીને થોડા વર્ષોમાં તમારી જાતને કરોડપતિ બનાવી શકો છો.

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને કેવી રીતે કરોડપતિ બની શકાય એ જાણીએ. તમારે રોજના ૧૦૦ રૂપિયા બચાવવાના છે. એ હિસાબે તમે દર મહિને ૩૦૦૦ રૂપિયા બચાવશો. દર મહિને મ્‍યુચ્‍યુઅલ ફંડ SIP (સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન) માં આ ૩૦૦૦ રૂપિયાનું રોકાણ કરો. વર્ષે તમે ૩૬,૦૦૦ રૂપિયાનું રોકાણ કરશો. SIP કેલ્‍કયુલેટર મુજબ, આ રીતે તમે ૩૦ વર્ષમાં ૧૦,૮૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરી લેશો.

હવે જો તમે મ્‍યુ. ફંડના સરેરાશ ૧૨ ટકાના વળતરનો હિસાબ માંડો છો તો તમને તમારા રોકાણ પર ૯૫,૦૯,૭૪૧ રૂપિયાનું વળતર મળશે. આ રીતે ૩૦ વર્ષમાં તમારા નાણા વધીને ૧,૦૫,૮૯,૭૪૧ રૂપિયા થઈ જશે અને તમે કરોડપતિ બની જશો કરોડપતિ.

Related posts

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથધરાઈ હતી તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

Ahmedabad Samay

વર્લ્ડ હેલ્થ ડે પર તમારા રોજિંદા આહારમાં બદામનો ઉપયોગ કરો, બદામને હેલ્ધી ફૂડમાં સામેલ કરવા માટેના એક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે

admin

“ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ “એવોર્ડ – સર્ટીફીકેટ” એનાયત થયેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો