May 21, 2026
Other

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

અમીર બનવા માટે કોઇ શોર્ટ કટ નથી. આ માટે ધીરજ અને લાંબા સમયની સાથે સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટની પણ જરૂર છે. માત્ર એક ક્‍લિકથી ગોલ્‍ડ, શેર માર્કેટ, મ્‍યુચ્‍યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકો છો. જો તમે દરરોજ થોડા પૈસા બચાવો છો અને તેને યોગ્‍ય જગ્‍યાએ રોકાણ કરો છો, તો તમે એક મોટું ફંડ બનાવી શકો છો. જો તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને મોટું જોખમ લેવા માંગતા નથી, તો તમે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. અહીં તમે SIP દ્વારા તમારી નાની બચતનું રોકાણ કરી શકો છો.

જો કરોડપતિ બનવું હોય તોતે ઘણુ આસાન છે.

તમારે રોજના ફક્‍ત ૧૦૦ રૂપિયા બચાવવા પડશે. અને SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. મ્‍યુચ્‍યુઅલ ફંડનું સરેરાશ વળતર ૧૨ ટકા જેટલું છે. જોકે, મ્‍યુ. ફંડના વળતરમાં વધઘટ થતી રહે છે, પણ જો તમે લાંબા સમય સુધી મ્‍યુચ્‍યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. તમે રોજના ૧૦૦ રૂપિયાની બચત કરીને થોડા વર્ષોમાં તમારી જાતને કરોડપતિ બનાવી શકો છો.

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને કેવી રીતે કરોડપતિ બની શકાય એ જાણીએ. તમારે રોજના ૧૦૦ રૂપિયા બચાવવાના છે. એ હિસાબે તમે દર મહિને ૩૦૦૦ રૂપિયા બચાવશો. દર મહિને મ્‍યુચ્‍યુઅલ ફંડ SIP (સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન) માં આ ૩૦૦૦ રૂપિયાનું રોકાણ કરો. વર્ષે તમે ૩૬,૦૦૦ રૂપિયાનું રોકાણ કરશો. SIP કેલ્‍કયુલેટર મુજબ, આ રીતે તમે ૩૦ વર્ષમાં ૧૦,૮૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરી લેશો.

હવે જો તમે મ્‍યુ. ફંડના સરેરાશ ૧૨ ટકાના વળતરનો હિસાબ માંડો છો તો તમને તમારા રોકાણ પર ૯૫,૦૯,૭૪૧ રૂપિયાનું વળતર મળશે. આ રીતે ૩૦ વર્ષમાં તમારા નાણા વધીને ૧,૦૫,૮૯,૭૪૧ રૂપિયા થઈ જશે અને તમે કરોડપતિ બની જશો કરોડપતિ.

Related posts

અમેરિકાનુ સૈન્ય હટયા બાદ અફઘાનિસ્તાનમાં ભારે તંગદિલીનો માહોલ, અફઘાનિસ્તાનમાં કરફ્યુ લદાયો

Ahmedabad Samay

માંગરોળમાં પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ પતિએ યુવાનના માથામાં લાકડું ફટકાર્યું

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો