May 7, 2026
ગુજરાત

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બોરીયા , સીતવાડા અને બોભા સહિત ત્રણ ગામોમા તસ્કરોએ એકજ રાત્રીમા ગલ્લા ,દુકાન,  કેબીન સહિત દશ જગ્યાએ તાળા તોડી માલસામાન સહિત રોકડ રકમ ચોરી ગયા
પ્રાંતિજ તાલુકાના બોરીયા સીતવાડા અને બોભા ખાતે મંગળવાર ની રાત્રીએ એકજ રાત્રીમા અજાણ્યા તસ્કરો દ્રારા બોરીયા , સીતવાડા અને બોભા ગામે આવેલ દુકાનો ,ગલ્લાઓ તથા કેબીન ના તાળા તોડયા હતા જેમા બોરીયા મા ત્રણ જગ્યાએ તથા સીતવાડા મા ચાર જગ્યાએ તથા બોભા ગામે ત્રણ જગ્યાએ તાળા તોડી દુકાન , ગલ્લા  , કેબીન મા રહેલ માલ-સામાન વેરવિખેર કર્યો હતો તો બોરીયા ખાતે આવેલ જય માતાજી કિરણા સ્ટોર નુ તાળુ તોડી દુકાન માંથી ત્રણ તેલ ના ડબા એક ડબા ની કિંમત ૨૦૭૦ તથા રોકડ રકમ ૧૨૦૦ મળી કુલ-૭૪૧૦ ની ચોરી કરી લઈ જતા દુકાન માલિક વિપુલ સિહ રાઠોડ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો તસ્કરો દ્રારા એકજ રાત્રીમા દશ જગ્યાએ થી તાળા તોડતા ગામજનો મા ભય નો માહોલ જોવા મલીરહ્યો છે અને રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ સધન કરવા માંગ ઉઠવા પામી છે

Related posts

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

લગ્નની જાન લઇને આવતા જાનૈયાઓને અટકાવાતા જાનૈયાઓએ વેજલપુર પોલીસ ઉપર હૂમલો કર્યો

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો