ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું કે, સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે.હાલમાં સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
૬૮ વર્ષના ચંદ્રપુરમ પન્નુસ્વામી રાધાકૃષ્ણન પૂડુચેરી અને તેલંગાણાના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઝારખંડના ગવર્નર તરીકે પણ ફરજ બુજાવી ચૂક્યા છે અને ભાજપના સાંસદ તરીકે રહી ચૂક્યા છે.તામિલનાડુના રાજકારણમાં ૪૦ વર્ષથી તેમનું નામ ખૂબ જ સન્માનનીય છે.
