May 7, 2026
ગુજરાત

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

અમદાવાદીઓ 18 એપ્રિલથી એડવાન્સ ટેક્સ ભરી શકશે. એડવાન્સ ટેક્સમાં આ વખતે 10ના બદલે 15 ટકા સુધીનો લાભ કોર્પોરેશનથી મળી રહ્યો છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ જમા કરાવતા હોય છે. ત્યારે આ વખતે એડવાન્સ ટેક્સમાં 15 ટકા સુધીની છૂટ આપવામાં આવી શકે છે. જેથી આ વખતે મોટી સંખ્યામાં ટેક્સ જમા થાય તેવી શક્યતા છે. જેથી કોર્પોરેશનને અંદાજે 400 કરોડની આવકનો અંદાજ છે.

આ રીતે મળશે 15 ટકા સુધીનો લાભ
કોર્પોરેશન દ્વારા બેઠકમાં 15 ટકા એડવાન્સ ટેક્સ મુક્તિની નવી યોજના જાહેર કરવામાં આવી છે. 18 એપ્રિલ, 2023 થી 17મે સુધી, ઓનલાઈન પેમેન્ટ પર 12 ટકા ડિસ્કાઉન્ટ અને 1 ટકા વધુ અને છેલ્લા ત્રણ વર્ષથી રેગ્યુલર એડવાન્સ ટેક્સ ભરવા પર 2 ટકા વધુ મળીને કુલ 15 ટકા એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

100% વ્યાજ સબવેન્શન સ્કીમ પણ 30મી એપ્રિલ સુધી ચાલનાર હોવાથી આ વખતે 18 એપ્રિલના રોજ આ સેવા શરુ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં તેમના વિસ્તારમાં આસપાસ કોર્પોરેશન કચેરીમાં કે પછી ઓનલાઈન ટેક્સ રુબરુ જમા કરાવી શકે છે ટેક્સના કારણે અત્યારે ટ્રીગર ઝૂંબેશમાં મોટી આવક કોર્પોરેશનની થઈ છે ત્યારે એડવાન્સ ટેક્સમાં પણ વધુ આવક થશે.

Related posts

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા,અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર લોકો નાચ્યાં

Ahmedabad Samay

ધો.૧૦ -૧૨ સામન્ય અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની.રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો