June 24, 2026
ગુજરાત

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

અધિક નિવાસી નાયબ કલેકટર અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર માનનીય મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત કાર્યક્રમ’ની શરૂઆત તા.૨૪ એપ્રિલના રોજ કરવામાં આવેલ. જેને ૨૦(વીસ) વર્ષ પૂર્ણ થતા હોઈ આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

 સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેવો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી તબક્કાવાર અમદાવાદ જિલ્લામાં પણ નીચે મુજબ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
 નાગરિકો માટે લોકાભિમુખ વહીવટની તાલીમ તલાટી-સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોને બાયસેગ સેટકોમ મારફતે આપવામાં આવશે. તા.૧૭ એપ્રિલ સુધીમાં ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા કેમ્પનું આયોજન
 તા.૧૭થી તા.૧૮ એપ્રિલ નાગરિકોને લોકાભિમુખ વહીવટ માટે નવા નિમણૂક પામેલ મામલતદારઓને તાલીમ આપવામાં આવશે.
         તા.૧૯થી ૨૦ એપ્રિલ નાગરિકોના લોકાભિમુખ વહીવટ માટે નવા નિમણૂક પામેલ તાલુકા વિકાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવશે.
તા.૨૪થી ૨૬ એપ્રિલ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, જેમાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર તથા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અધ્યક્ષતા કરશે. તમામ તાલુકામાં વર્ગ-૧ના અધિકારી ઉપસ્થિત રહી રાજય સરકારની યોજનાકીય માહિતી આપતી સાહિત્ય પુસ્તિકાનું વિતરણ કરાવશે.
         તા.૨૭ એપ્રિલ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા સ્વાગતમાં લેવાયેલ પ્રશ્નોની સમીક્ષા કરી તાલુકા કક્ષાએથી હલ ન થયેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.
         અમદાવાદ જિલ્લાના તમામ નાગરિકોને જેમના પ્રશ્નોનો હલ ન થયેલ હોઈ તેઓ તેમના પ્રશ્ન મુજબ ગ્રામ્ય સ્વાગત કક્ષાએ, તાલુકા સ્વાગત કક્ષાએ તથા જિલ્લા સ્વાગત કક્ષાએ પોતાની ફરિયાદ સમય-મર્યાદામાં રજૂ કરી શકશે. જેથી તેમના પ્રશ્નો/ફરિયાદોનો યોગ્ય કાર્યમાં સમાવેશ કરી આખરી નિકાલ કરવામાં આવશે, જેથી નાગરિકોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

બનાસકાંઠા: વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવા ભરઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો