November 18, 2025
ગુજરાત

અમદાવાદ: સુદાનથી 56 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રીએ પુષ્પ આપી સ્વાગત કર્યું

ભારત સરકારના ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનથી ભારતીય નાગરિકોને પરત સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ નાગરિકોમાં ઘણા ગુજરાતી પણ છે કે જેઓ ગઈકાલે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. માહિતી મુજબ, 56 જેટલા ગુજરાતીઓ આજે મુંબઈથી અમદાવાદ પહોંચ્યા છે.

જણાવી દઈએ કે, આફ્રિકી દેશ સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે આંતરિક યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ત્યાં ભયંકર હિંસા ફાટી નીકળી છે. સુદાનમાં રહેતા ભારતીય નાગરિકો સહિત અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે. આથી ભારત સરકાર દ્વારા ભારતીય નાગરિકોને પરત સ્વદેશ લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કરાયું છે. જે હેઠળ ફસાયેલા ભારતીય નાગરિકો પૈકી 500 નાગરિકોને બુધવારે એક પ્લેનમાં ગઈકાલે જેદ્દાહથી મુંબઇ લવાયા હતા. આ નાગરિકોમાંથી 56 જેટલા ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એરપોર્ટ પર પુષ્પથી તમામ નાગરિકોનું સ્વાગત કર્યું હતું. જ્યારે ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો અને ‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

પરિજનોને મળી ગુજરાતીઓ ભાવુક થયા

પરિજનોને મળી ગુજરાતીઓ ભાવુક થયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુંબઈથી બે વોલ્વો બસના માધ્યમથી ગુજરાતી નાગરિકોને અમદાવાદ લવાયા છે. આ પહેલા મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓને પરત લાવવા તમામ વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો. ત્યારે આજે સૌ નાગરિકોને શાંતિ પૂર્વક અમદાવાદ લાવવામાં આવ્યા છે. માહિતી મુજબ, આ નાગરિકોમાં 39 રાજકોટ, 9 ગાંધીનગર, 5 આણંદ અને 5 વડોદરાના છે.

Related posts

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

આગામી પાંચ દિવસમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવશે, બધું થીજવી દેશે

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો