February 5, 2026
જીવનશૈલી

કીવી ફ્રૂટના અપાર ફાયદા જાણીને તમે પણ કહેશો- ‘અદભૂત’, જાણો દરરોજ કેટલું ખાવું આ સ્વાદિષ્ટ ફળ

કીવી ફ્રૂટના અપાર ફાયદા જાણીને તમે પણ કહેશો- ‘અદભૂત’, જાણો દરરોજ કેટલું ખાવું આ સ્વાદિષ્ટ ફળ

કીવી એક એવું ફળ છે જે આખા વર્ષ દરમિયાન બજારમાં મળે છે, જો તેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવે તો કદાચ ખોટું નહીં હોય કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ભલે બજારમાં તેની કિંમત બીજા ઘણા ફળો કરતા થોડી વધારે હોય, પરંતુ તેને ખરીદવું અને ખાવું એ ક્યારેય ખોટુ સાબિત થશે નહીં…

કીવીમાં પોષક તત્વો મળી આવે છે
કીવીમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જે લોકો પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે તેમણે કિવી ખાવી જ જોઈએ. આ ફળમાં પોટેશિયમ, વિટામીન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરને અનેક રીતે ફાયદો કરે છે… દરરોજ એક મધ્યમ કદની કીવી ખાવી તમારા માટે પૂરતું રહેશે.

કિવી ખાવાના ફાયદા

1. જે લોકોને હ્રદયની બીમારી હોય તેમને કીવી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.
2. જો તમને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તો કિવી ફળ ચોક્કસ ખાઓ, તેનાથી બીપી કંટ્રોલમાં આવશે.
3. ઓછી કેલરી હોવાને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ દવાથી ઓછું નથી. તે શુગર લેવલને ઓછું કરે છે
4. કીવી ખાવાથી શરીરના ટોક્સિન્સ બહાર આવવા લાગે છે, જેની સકારાત્મક અસર આપણી ત્વચા પર જોવા મળે છે.
5. કિવીનું નિયમિત સેવન કરવાથી ત્વચા પર અદભૂત ગ્લો આવે છે અને કરચલીઓ ગાયબ થઈ જાય છે.
6. જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે કિવીનું નિયમિત સેવન કરવું જોઈએ.
7. કીવી પેટના અલ્સરને ઠીક કરવામાં પણ મદદ કરી શકે છે.
8. કીવીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.
9. કીવીનું સેવન આપણા હાડકાં માટે પણ ફાયદાકારક છે, તેનાથી સાંધાનો દુખાવો દૂર થાય છે.
10. જે લોકો માનસિક સમસ્યાઓથી પીડિત હોય તેમણે તણાવ ઓછો કરવા માટે કીવી ખાવી જ જોઈએ.
11. કીવી આપણી રોગપ્રતિકારક શક્તિને ખૂબ વધારે છે, તે ઘણા રોગો અને ચેપનું જોખમ ઘટાડે છે.

Related posts

Face Steaming: ચહેરા પર સ્ટીમ લેવાથી કેમ ફાયદો થાય છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

Ahmedabad Samay

જો તમે H3N2 વાયરસથી બચવા માંગતા હોવ તો તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

Ahmedabad Samay

નસોમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલને કાઢી નાખશે આ 3 પાંદડા, નહીં વધે શુગર

Ahmedabad Samay

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

અંગ દાન એ મહા દાન: ૩૯ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં તેમના પરિવારે તેમના ચક્ષુનું કર્યું દાન

Ahmedabad Samay

Wrinkle: કરચલીઓ ચહેરા પર વૃદ્ધાઅવસ્થાની અસર દર્શાવે છે? યુવાન દેખાવાની રીતો જાણો….

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો