February 5, 2026
ગુજરાત

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

ગાર્ડન વિસ્તારમાં કે અલગ રીતે બનાવવામાં આવેલા અમદાવાદના તળાવો એ શહેરની શોભા છે પરંતુ આ શોભા ત્યારે બને જ્યારે ઉનાળા જેવી સિઝનમાં તળાવો પાણીથી ભરેલા હોય પરંતુ મોટાભાગના તળાવો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

બપોરના સમયે ગરમીમાં શીતળતા આપતા આ તવાળો ખાલી જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 9 જેટલા તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ભરીને તળાવો ભરવામાં આવશે. જેના માટે 2 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરાયો છે. જો કે, કેટલાક પ્લાન્ટમાં માંડ થોડું થોડું પાણી આવતા તળાવો પાણી ખૂબ ઓછું પહોંચે છે. જેથી કેટલાક સંજોગોમાં નામના તળાવો ભરાય છે. જો કે, એસટીપીની ક્ષમતામાં વધારો  કરી ભૂગર્ભ જળને ઉંચા લાવવાનો આગામી સમયમાં પ્રયાસ છે.

જગતપુર તળાવમાં 2એમએલડી ક્ષમતાને એસટીપીમાં સ્થાપિત કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા તેને મંજૂરી મળી હતી. જેનો અંદાજીત ખર્ચ 7.5 કરોડ છે. આ સિવાય અન્ય તળાવોમાં પણ આ પ્રકારે કામગિરી થશે.

તળાવને ભરવા માટે નર્મદા કેનાલ મારફતે જાસપુર ગામ પાસે સ્ટોર્મ વોટર લાઈન પણ નખાઈ છે. જેથી બીજા તળાવમાં પણ પાણી ભરવામાં મદદ મળશે. એએમસી દ્વારા શહેરના તળાવોની ખૂબસુરતી વધારવા માટે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ થશે. જેના માટે કોર્પોરેશન 80 કરોડથી વધુનો ખર્ચ કરશે.

Related posts

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી સમયમાં એક જ ટિકિટથી BRTS-AMTSની કરી શકાશે મુસાફરી

Ahmedabad Samay

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો