March 23, 2026
ગુજરાત

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

ગાર્ડન વિસ્તારમાં કે અલગ રીતે બનાવવામાં આવેલા અમદાવાદના તળાવો એ શહેરની શોભા છે પરંતુ આ શોભા ત્યારે બને જ્યારે ઉનાળા જેવી સિઝનમાં તળાવો પાણીથી ભરેલા હોય પરંતુ મોટાભાગના તળાવો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

બપોરના સમયે ગરમીમાં શીતળતા આપતા આ તવાળો ખાલી જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 9 જેટલા તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ભરીને તળાવો ભરવામાં આવશે. જેના માટે 2 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરાયો છે. જો કે, કેટલાક પ્લાન્ટમાં માંડ થોડું થોડું પાણી આવતા તળાવો પાણી ખૂબ ઓછું પહોંચે છે. જેથી કેટલાક સંજોગોમાં નામના તળાવો ભરાય છે. જો કે, એસટીપીની ક્ષમતામાં વધારો  કરી ભૂગર્ભ જળને ઉંચા લાવવાનો આગામી સમયમાં પ્રયાસ છે.

જગતપુર તળાવમાં 2એમએલડી ક્ષમતાને એસટીપીમાં સ્થાપિત કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા તેને મંજૂરી મળી હતી. જેનો અંદાજીત ખર્ચ 7.5 કરોડ છે. આ સિવાય અન્ય તળાવોમાં પણ આ પ્રકારે કામગિરી થશે.

તળાવને ભરવા માટે નર્મદા કેનાલ મારફતે જાસપુર ગામ પાસે સ્ટોર્મ વોટર લાઈન પણ નખાઈ છે. જેથી બીજા તળાવમાં પણ પાણી ભરવામાં મદદ મળશે. એએમસી દ્વારા શહેરના તળાવોની ખૂબસુરતી વધારવા માટે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ થશે. જેના માટે કોર્પોરેશન 80 કરોડથી વધુનો ખર્ચ કરશે.

Related posts

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

બાબા બાગેશ્વરનો નવો કાર્યક્રમ GMDCમાં યોજાયે તેવી શક્યતા, ઓંગણજનો કાર્યક્રમ થયો છે રદ

Ahmedabad Samay

ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. વોક વે પાણીમાં ગરકાવ થયો

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો