February 10, 2025
ગુજરાત

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

ગાર્ડન વિસ્તારમાં કે અલગ રીતે બનાવવામાં આવેલા અમદાવાદના તળાવો એ શહેરની શોભા છે પરંતુ આ શોભા ત્યારે બને જ્યારે ઉનાળા જેવી સિઝનમાં તળાવો પાણીથી ભરેલા હોય પરંતુ મોટાભાગના તળાવો સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

બપોરના સમયે ગરમીમાં શીતળતા આપતા આ તવાળો ખાલી જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 9 જેટલા તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ભરીને તળાવો ભરવામાં આવશે. જેના માટે 2 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરાયો છે. જો કે, કેટલાક પ્લાન્ટમાં માંડ થોડું થોડું પાણી આવતા તળાવો પાણી ખૂબ ઓછું પહોંચે છે. જેથી કેટલાક સંજોગોમાં નામના તળાવો ભરાય છે. જો કે, એસટીપીની ક્ષમતામાં વધારો  કરી ભૂગર્ભ જળને ઉંચા લાવવાનો આગામી સમયમાં પ્રયાસ છે.

જગતપુર તળાવમાં 2એમએલડી ક્ષમતાને એસટીપીમાં સ્થાપિત કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા તેને મંજૂરી મળી હતી. જેનો અંદાજીત ખર્ચ 7.5 કરોડ છે. આ સિવાય અન્ય તળાવોમાં પણ આ પ્રકારે કામગિરી થશે.

તળાવને ભરવા માટે નર્મદા કેનાલ મારફતે જાસપુર ગામ પાસે સ્ટોર્મ વોટર લાઈન પણ નખાઈ છે. જેથી બીજા તળાવમાં પણ પાણી ભરવામાં મદદ મળશે. એએમસી દ્વારા શહેરના તળાવોની ખૂબસુરતી વધારવા માટે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ થશે. જેના માટે કોર્પોરેશન 80 કરોડથી વધુનો ખર્ચ કરશે.

Related posts

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો