May 8, 2026
ગુજરાત

અમદાવાદમાં આગામી સમયમાં એક જ ટિકિટથી BRTS-AMTSની કરી શકાશે મુસાફરી

અમદાવાદમાં અત્યારે બીઆરટીએસ અને એએમટીએસ બન્નેની અલગ અલગ ટિકિટ છે પરંતુ આ બન્ને સિટી ટ્રાન્સપોર્ટ બસોમાં એક જ ટિકિટથી મુસાફરી કરી શકાય તેવું આયોજન એએમસી દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જે જગ્યા પર એટલે કેસ રુટ પર બીઆરટીએસ અને એએમટીએસ ચાલે છે ત્યાં સુધારો કરાશે. જરુર પડે ત્યાં જ બસો દોડાવવાની પણ યોજના છે.

અમદાવાદમાં એએમટીએસ સૌથી જૂની ટ્રાન્સપોર્ટ સર્વિસ છે તે છતાં મોટી કરોડોની ખોટ ખાઈને ચલાવવામાં આવે છે. ત્યારે એએમટીએસમાં મુસાફરો વધે તે રીતે કામગિરી કરવામાં આવશે. જેથી આગામી સમયમાં ઈન્ટીગ્રેશનની પ્રક્રીયા કરવામાં આવશે. જે માટે ત્રણ તબક્કામાં કામગિરી કરવામાં આવી રહી છે પ્રથમ તબક્કામાં બન્નેનું ભાડું એક સરખું કરાયં છે જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે આ ઉપરાંત ત્રીજા તબક્કામાં રુટ રેશનલાઈઝેશન કરવામાં આવશે આ ઉપરાંત ખર્ચ ઘટાડવા અને ફ્રીક્વન્સી ઓછી કરવા અને જ્યાં પેસેન્જર હોય ત્યાં જ બસ સેવાનો રુટ કાર્યરત રાખવામાં આવશે આમ આ દિશામાં કામગિરી કરવામાં આવશે.

અમદાવાદમાં બીઆરટીએ અને એએમટીએસને ઈન્ટીગ્રેટ થવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, તબક્કાવાર આ ફેરફાર કરવામાં આવતા ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કેટલો ફર્ક પડે છે કે કેટલી સુધરી શકે છે.

Related posts

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

દિવાળીની ખરીદી પડી ભારે, કોરોના કેસમાં ચિંતા જનક વઘારો

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો