November 18, 2025
ગુજરાત

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ

આજે ધોરણ 10નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે આ પરીણામ બાદ શિક્ષણ મંત્રી કુંબેર ડીંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. આજે ગુરુવારે જાહેર કરાયેલું ધોરણ 10નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુક્ષેચ્છાઓ આપી હતી.

કુબેર ડીંડોરે કહ્યું કે, ધોરણ 10 (SSC) બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભેચ્છાઓ. ભવિષ્યમાં આપ સૌ યુવાઓ ખંતપૂર્વક અને મહેનતથી યશ-કીર્તિ પ્રાપ્ત કરો તેવી અંતઃકરણપૂર્વક શુભકામનાઓ. આ સાથે તેમને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હિંમત ના હારીને ફરી પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ આપી હતી.

સીએમએ આપ્યો આ સંદેશો 
સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરીણામ જાહેર થયા બાદ શુભકામના આપતા કહ્યું કે, તમામ વિદ્યાર્થીઓને અભિનંદ અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામાનાઓ.

વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી ખુશી
આજે વહેલી સવારે જ પરીણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ સવારે 8 વાગે ઓનલાઈન પરીણામ જોવા માટે તલપાપડ જોવા મળ્યા હતા. પરીણામ જાહેર થતાની સાથે જ પાસ તેમજ ટોપર્સ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. ક્યાંક મીઠાઈઓ વાલીઓ ખવડાવતા જોવા મળ્યા હતા તો ક્યાંક ઢોલ નગારાના તાલે ઝૂમતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. જો કે, આ વખતે ધોરણ 10નું વર્ષ 2023નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. વર્ષ 2022માં 65.18 ટકા પરીણામ આવ્યું હતું.

Related posts

સાબરકાંઠામાં યુ.એફ.ઓ. દેખાઇ, આકાશમાં લીલા કલરની રોશની દેખાઈ, જમીન પર પણ ધુમાળા જેવી આકૃતિ પણ દેખાઈ

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદ: ભારે કરી…IPLની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ કેબિનેટ મંત્રીને વારંવાર ફોન કર્યા, કહ્યું- મંત્રીજી ટિકિટનું કઈંક કરાવી આપો…!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો