March 26, 2026
રાજકારણ

મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત ભાજપની કોર ગ્રુપની આજે બેઠક, લોકસભાની રણનિતી થઈ રહી છે નક્કી

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપે ગુજરાતમાં તૈયારીઓનો આરંભ કરી લીધો છે. આજે સાંજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકની અંદર મોદી સરકારના 9 વર્ષની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવશે.

આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે આ બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને રણનીતિ અંગે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારના કામો અને વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તેને લઈને પ્રચાર અર્થે પણ રણનિતી ઘડવામાં આવશે.

આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ પર ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમો આગામી સમયમાં જિલ્લા અને શહેરોમાં યોજવા તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. આ ઉપરાંત આગામી સમયમાં કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતના પ્રવાસો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં વિધનસભાની ચૂંટણી બાદની વર્તમાન રાજકીય અને સામાજિક સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

તમામ સીટો ગુજરાતમાં જીતવાનો લક્ષ્યાંક
લોકસભાની ચૂંટણી પહેલા સીઆર પાટીલ ફરી એકવાર ગુજરાતની 26 બેઠકો પર ભાર આપી આગામી સંગઠનાત્મક રણનિતી પર ભાર આપી રહ્યા છે. જેમાં સીએમ અને સીઆરના આગામી સમયમાં વિવિદ 33 જિલ્લાના પ્રવાસો પણ યોજવામાં આવશે. ગુજરાતમાં તમામ સીટો જીતવાનો લક્ષ્યાંક હાઈકમાન્ડે પાટીલના ખભા પર મુક્યો છે. ત્યારે આ દિશામાં ભાજપ દ્વારા કામગિરી કરાશે.

લોકસભામાં સાંસદોની કપાઈ શરે છે ટિકિટો
આ વખતે લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સાંસદોને પણ ચોક્કસ ટિકિટો કપાવવાનો ડર છે. કેમ કે,ટ જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં નવાને સ્થાન આપવામાં આવતા જૂના જોગીઓના પત્તા કપાયા હતા ત્યારે એ નિશ્ચિત છે કે, વર્તમાન સાંસદોમાંથી કેટલાકની ટિકિટ કપાઈ શકે છે. અગાઉ કેટલાક સાંસદોને વિધાનસભાની ચૂંટણી  બાદ દિલ્હી બોલાવીને તેમની સામેની કામગિરીને લઈને મળેલી ફરીયાદોના આધારે ઠપકો પણ આપવામાં આવ્યો હતો.

Related posts

૮૩ વર્ષના થાય ત્યાં સુધી પુતિન રાજગાદી પર બેસશે, પુતિને રશિયાનું બંધારણ બદલ્યું

Ahmedabad Samay

મંત્રી શ્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ લાભો મોટા લાભદાયક ફેરફાર કર્યા.

Ahmedabad Samay

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

Ahmedabad Samay

દ્વારકાની કમાન ગૃહ મંત્રીએ સંભાળી, વાવાઝોડાના કારણે નિચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા, દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય

Ahmedabad Samay

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો