જેગુઆર કારમાં નબીરા તથ્ય પટેલ 160મી સ્પીડે અકસ્માત જોવા ઉભેળા ટોળા પર કાર હંકારતા 9ના મોત નિપજ્યા છે. જેમાં કેટલાક પીજીમાં રહેલા 21થી 23 વર્ષ આસપાસના યુવાનો પણ સામેલ છે.
ઈસ્કોન બ્રિજ ગઈકાલે મોડી રાત્રે ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. આ મોતની ગૂંજ એવી ભયાનક હતી કે, નરજે જોયા સિવાય સાંભળનારના પણ હાજા ગગડી જાય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ થઈ છે. અકસ્માત ઈસ્કોન બ્રિજ પર કાર અને ડંપર વચ્ચે થયો હતો આ જોવા તેમજ જરુર પડતા મદદ કરવાની આશા સાથે ટોળું ભેગું થયું હતું. આ ટોળામાં થલતેજથી ઈસ્કોન વિસ્તારમાં પીજીમાં સિફ્ટ થયેલા યુવાનો પણ સામેલ હતા. કેમ કે, તેમની સાથે 9 લોકોને કચડનાર કાર ચાલકની અડફેટે પીજીના યુવાનો પણ હતા. પોતાના વ્હાલસોયા સંતાનોને કારકિર્દી માટે બોટાદ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારથી અમદાવાદમાં મોકલનાર માતા પિતા માટે આ ઘડી કેવી હશે તેની કલ્પના કરી શકાય છે.
અમદાવાદ શહેરમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર એક મોટો અકસ્માત થયો છે. જેમાં નવ લોકોના મોત થયા છે. આ સિવાય કેટલાક લોકો ઘાયલ થયા છે. ગોઝારામાં બનેલા આ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત નવ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. એસયુવી કાર થાર અને ડમ્પર વચ્ચેની ટક્કર બાદ જેગુઆર કાર પણ ત્યાં અથડાઈ હતી. જેગુઆર કાર અને ડમ્પરે અકસ્માત જોવા આવેલા ટોળાને કચડી નાખ્યા હતા. હવે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતકોના નામ જેમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ સામેલ
નીરવ રામાનુજા (ઉંમર- 22-ચાંદલોડિયા)
કૃણાલ કોડિયા (ઉંમર 23 વર્ષ – બોટાદ)
રૌનક રાજેશભાઈ વિહળપરા (ઉંમર 23 – બોટાદ)
અરમાન અનિલ વઢવાણિયા – (ઉંમર 21 સુરેન્દ્રનગર)
અક્ષર ચાવડા – (ઉંમર 21 વર્ષ બોટાદ)
ધર્મેન્દ્રસિંહ પરમાર – 40 વર્ષીય ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
નિલેશ ખટીક – 38 વર્ષ, (બોડકદેવ હોમગાર્ડ)
અમનભાઈ કચ્છી (ઉંમર 25 – સુરેન્દ્રનગર)
એકની ઓખળ નથી થઈ
