February 6, 2026
અપરાધગુજરાતદુનિયાદેશ

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ભારત વિરોધી હળહળતુ ઝેર ઓક્યું છે. અખ્તર કોઈ આતંકીની માફક હજી પણ ‘ગઝવા-એ-હિંદલ્લનું સપનું સેવીને બેઠો છે. તેણે કહ્યું છે કે, અમે કાશ્મીર પર કબજો કરીશું અને ત્યાર બાદ ભારત પર હુમલો કરીશું. અખ્તરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. શોએબ અખ્તરના આ નિવેદન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. જોકે આ કંઈ પહેલીવાર નથી કે કોઈ પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીર અને ભારતને લઈને ઝેર ઓક્યું હોય. આ અગાઉ શાહિદ આફ્રિદી, જાવેદ મિયાદાદ જેવા ક્રિકેટરો પણ ભારત વિરૂદ્ધ બોલતા રહ્યાં છે.

પાકિસ્તાનના પૂર્વ ઝંઝાવાતી બોલર શોએબ અખ્તરે સમા ટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં શોએબ અખ્તર ‘ગઝવા-એ-હિંદલ્લ વિષે બોલી રહ્યો છે. ગઝવા-એ-હિંદનો અર્થ થાય છે ‘ભારત વિરૂદ્ધ પવિત્ર યુદ્ધલ્લ એટલે કે ‘જેહાદલ્લ. અખ્તરનો આ વીડિયો જોકે જુનો હોવાનું કહેવાય છે.

જેમાં અખ્તર કહી રહ્યો છે કે, અમારા પવિત્ર પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગઝવા-એ-હિંદલ્લ સ્થાન લેશે નદી બે વાર લોહીના લાલ રંગથી રંગાશે. અફઘાનિસ્તાનથી સૈના અટોક સુધી પહોંચશે. શમા મશરિકમાંથી ઉઠ્યા બાદ ઉઝબેકિસ્તાનથી જુદા જુદા દળો પહોંચશે. આ બધા એક ઐતિહાસિક સ્થળ ખોરાસન છે જે છેક લાહોર સુધી ફેલાયેલુ હતુ.

શોએબ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યાં છે. શામલ મશરિફ અરબ પ્રાયદ્વિપના ઉત્તરમાં આવેલુ એક ક્ષેત્ર મટે ઉર્દૂ સંદર્ભ છે. ગઝવા-એ-હિંદ શબ્દનો ઉપયોગ પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામિક પ્રચારકો અને દાયકાઓથી પાકિસ્તાથ સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવશે.

 

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

Ahmedabad Samay

હમ આપકે હે કૌન, હમ સાથ સાથ હૈ જેવી અનેક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકને સ્ટાર રિપોર્ટ, અખિલ ભારતીય જૈન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયા દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

આવું અનોખું હશે નવા સંસદ ભવન

Ahmedabad Samay

મહિલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં પણ એકતરફી જીત નોંધાવી

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો