June 24, 2026
અપરાધગુજરાતદુનિયાદેશ

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ભારત વિરોધી હળહળતુ ઝેર ઓક્યું છે. અખ્તર કોઈ આતંકીની માફક હજી પણ ‘ગઝવા-એ-હિંદલ્લનું સપનું સેવીને બેઠો છે. તેણે કહ્યું છે કે, અમે કાશ્મીર પર કબજો કરીશું અને ત્યાર બાદ ભારત પર હુમલો કરીશું. અખ્તરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. શોએબ અખ્તરના આ નિવેદન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. જોકે આ કંઈ પહેલીવાર નથી કે કોઈ પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીર અને ભારતને લઈને ઝેર ઓક્યું હોય. આ અગાઉ શાહિદ આફ્રિદી, જાવેદ મિયાદાદ જેવા ક્રિકેટરો પણ ભારત વિરૂદ્ધ બોલતા રહ્યાં છે.

પાકિસ્તાનના પૂર્વ ઝંઝાવાતી બોલર શોએબ અખ્તરે સમા ટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં શોએબ અખ્તર ‘ગઝવા-એ-હિંદલ્લ વિષે બોલી રહ્યો છે. ગઝવા-એ-હિંદનો અર્થ થાય છે ‘ભારત વિરૂદ્ધ પવિત્ર યુદ્ધલ્લ એટલે કે ‘જેહાદલ્લ. અખ્તરનો આ વીડિયો જોકે જુનો હોવાનું કહેવાય છે.

જેમાં અખ્તર કહી રહ્યો છે કે, અમારા પવિત્ર પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગઝવા-એ-હિંદલ્લ સ્થાન લેશે નદી બે વાર લોહીના લાલ રંગથી રંગાશે. અફઘાનિસ્તાનથી સૈના અટોક સુધી પહોંચશે. શમા મશરિકમાંથી ઉઠ્યા બાદ ઉઝબેકિસ્તાનથી જુદા જુદા દળો પહોંચશે. આ બધા એક ઐતિહાસિક સ્થળ ખોરાસન છે જે છેક લાહોર સુધી ફેલાયેલુ હતુ.

શોએબ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યાં છે. શામલ મશરિફ અરબ પ્રાયદ્વિપના ઉત્તરમાં આવેલુ એક ક્ષેત્ર મટે ઉર્દૂ સંદર્ભ છે. ગઝવા-એ-હિંદ શબ્દનો ઉપયોગ પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામિક પ્રચારકો અને દાયકાઓથી પાકિસ્તાથ સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવશે.

 

Related posts

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો