June 27, 2026
ગુજરાત

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

અમદાવાદની વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના હસ્તે મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના થકી ભારતીય ટપાલ વિભાગના સહયોગથી સેવા વિતરણ કરવામાં આવ્યું હતું. મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમિતભાઈ ઠાકરે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે લાવવામાં આવેલી આ એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ શ્રમિકો મેળવી શકે છે. આ યોજનામાં શ્રમિકોને રૂ. 289 માં પાંચ લાખનો અને રૂ. 499 માં દસ લાખનો આકસ્મિક વીમો મળવાપાત્ર છે. આ ઉપરાંત, મેડિકલ ક્લેમ જેવા અનેક ફાયદા પણ આ યોજનામાં આપવામાં આવે છે. અમિતભાઈ ઠાકરે શ્રમિકોને આ
યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, આ યોજના શ્રમિકોની સુરક્ષા માટે એક
મહત્વપૂર્ણ સહાયરૂપ યોજના છે.

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંગે જાગૃતિ લાવવા માટે પોસ્ટ ખાતા દ્વારા શ્રમિકોને માહિતી આપવામાં આવી હતી અને તેમને યોજનાનું રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પોસ્ટલ રીજીયનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે. જી. મકવાણા, અમદાવાદ શહેર ટપાલ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિંટેન્ડેન્ટ એચ. જે. પરીખ અને અમદાવાદ શહેર ટપાલ વિભાગ પાલડી પોસ્ટ ઓફિસમાં કાર્યરત પોસ્ટલ આસિસ્ટન્ટ કે. બી. ચાવડા હાજર રહ્યા હતા.

Related posts

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

ગુજરાત ટાઇટન્સે નવી જર્સી લોન્ચ કરી

Ahmedabad Samay

2021-22માં 1.06 લાખ મિલિયન યુનિટ વીજ વપરાશ થયો, એક વર્ષમાં રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશ 140 યુનિટ વધ્યું

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ગરમી સાથે ગુજરાતમાં હવામાનના મિશ્ર મિજાજ વચ્ચે આગામી સાત દિવસ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો