February 6, 2026
ગુજરાત

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જ્યાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી નથી કરવામાં આવી. જેથી GTUમાં ઈન્ચાર્જ પરીક્ષા નિયામકના  સહારે કામગિરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 6 વર્ષથી પરીક્ષા નિયામકની કાયમી નિમણૂક નથી કરવામાં આવી જેથી આ મામલે ગુજરાત એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ડીપ્લોમાં કોલેજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને કાયમી ભરતીની માગ પણ કરવામાં આવી છે.

તત્કાલિક પરીક્ષા નિયામકની નિમણૂકની માગ કરાઈ છે. જે માટે કુલપતિને પત્ર પણ લખવામાં આવ્યો છે. જીટીયુમાં કેટલીક કાયમી ભરતી ન હોવાથી ઈન્ચાર્જ નિમવામાં આવે છે. આ સાથે કાયમી ભરતી થાય તે જરુરી છે. પરીક્ષા પૂર્ણ થયાના એક મહિનામાં પરીણામ જાહેર કરવા માગ કરવામાં આવી છે.

પરીણામ બાદ 15 દિવસમાં માર્કશિપ મળે તેવી અપીલ કરવામાં આવી છે. રી ચેકિંગ રી એસેસમેન્ટનું પરીણામ સમયસર મળે તેવી માગ કરવામાં આવી છે.

ફિઝીકલ માર્કશિટ ન આવતા અનેક મુશ્કેલીઓ પડે છે. આ સિવાય ઘણા ઘણી મુશ્કેલીઓ પણ પડે છે. આ મામલે કાયમી નિમણૂકને લઈને જીટીયુને માગ કરવામાં આવી રહી છે.

Related posts

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

આગામી પાંચ દિવસમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવશે, બધું થીજવી દેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો