November 13, 2025
ગુજરાત

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જ્યાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી નથી કરવામાં આવી. જેથી GTUમાં ઈન્ચાર્જ પરીક્ષા નિયામકના  સહારે કામગિરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 6 વર્ષથી પરીક્ષા નિયામકની કાયમી નિમણૂક નથી કરવામાં આવી જેથી આ મામલે ગુજરાત એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ડીપ્લોમાં કોલેજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને કાયમી ભરતીની માગ પણ કરવામાં આવી છે.

તત્કાલિક પરીક્ષા નિયામકની નિમણૂકની માગ કરાઈ છે. જે માટે કુલપતિને પત્ર પણ લખવામાં આવ્યો છે. જીટીયુમાં કેટલીક કાયમી ભરતી ન હોવાથી ઈન્ચાર્જ નિમવામાં આવે છે. આ સાથે કાયમી ભરતી થાય તે જરુરી છે. પરીક્ષા પૂર્ણ થયાના એક મહિનામાં પરીણામ જાહેર કરવા માગ કરવામાં આવી છે.

પરીણામ બાદ 15 દિવસમાં માર્કશિપ મળે તેવી અપીલ કરવામાં આવી છે. રી ચેકિંગ રી એસેસમેન્ટનું પરીણામ સમયસર મળે તેવી માગ કરવામાં આવી છે.

ફિઝીકલ માર્કશિટ ન આવતા અનેક મુશ્કેલીઓ પડે છે. આ સિવાય ઘણા ઘણી મુશ્કેલીઓ પણ પડે છે. આ મામલે કાયમી નિમણૂકને લઈને જીટીયુને માગ કરવામાં આવી રહી છે.

Related posts

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

Ahmedabad Samay

રાજેન્દ્રસિંહ ધાકરેએ ૨૪ કલાકમાં સૌથી વધુ LIC ની પોલીસ વહેચી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

26 & 27ઓગષ્ટે રક્ષાબંધન-2023′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન ઉજવાઇ

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો