June 27, 2026
જીવનશૈલી

અંગ દાન મહા દાન: રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં ૧૫૦ લોકોએ કર્યો અંગ દાનનો સંકલ્પ

વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ અંગદાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કલેકટરશ્રી પ્રભવ જોશીએ અંગદાન જાગૃતિ માટે શપથ લેવાની સાથેસાથે તબીબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અંગદાન માટે આવશ્યક સુવિધા તેમજ જરૂરિયાત મુજબ દવા, ઇન્જેક્શન, ઓપરેશન માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ તકે પી.ડી.યુ. કોલેજનાં ડીનશ્રી ડો. એમ. જે. સામાણી, ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ₹ ડો. તેજસ કરમટા, શ્રી મિત્તલ ખેતાણી, શ્રી નિતીનભાઈ ઘાટલીયા, શ્રી વિક્રમભાઈ જૈન, શ્રી ભાવનાબેન મંડલિ, શ્રી હર્ષિતભાઈ કાવર, શ્રી ભાવેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

આ 4 કારણોથી સવારે ઉઠ્યા બાદ પીવો એપલ જ્યુસ, જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર રહેશે

Ahmedabad Samay

જાણો શુ છે ” અંતર આત્માનું સુખ” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

Ahmedabad Samay

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળી રહેલી ભારે અસ્થિરતા અને ઉતાર-ચઢાવના કારણે બેંક FD સેફ

Ahmedabad Samay

અંગ દાન એ મહા દાન: ૩૯ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં તેમના પરિવારે તેમના ચક્ષુનું કર્યું દાન

Ahmedabad Samay

‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજકોટમાં ક્ષય નિવારવા દર્દીઓને આપાઇ ન્યુટ્રીશિયન કીટ

Ahmedabad Samay

મોટું વિચારશો તોજ મોટું મેળવશો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો