January 19, 2025
જીવનશૈલી

અંગ દાન મહા દાન: રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં ૧૫૦ લોકોએ કર્યો અંગ દાનનો સંકલ્પ

વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ અંગદાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કલેકટરશ્રી પ્રભવ જોશીએ અંગદાન જાગૃતિ માટે શપથ લેવાની સાથેસાથે તબીબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અંગદાન માટે આવશ્યક સુવિધા તેમજ જરૂરિયાત મુજબ દવા, ઇન્જેક્શન, ઓપરેશન માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ તકે પી.ડી.યુ. કોલેજનાં ડીનશ્રી ડો. એમ. જે. સામાણી, ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ₹ ડો. તેજસ કરમટા, શ્રી મિત્તલ ખેતાણી, શ્રી નિતીનભાઈ ઘાટલીયા, શ્રી વિક્રમભાઈ જૈન, શ્રી ભાવનાબેન મંડલિ, શ્રી હર્ષિતભાઈ કાવર, શ્રી ભાવેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

કાન દર્દથી જીવન હરામ થઈ ગયું છે? આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા તમને ઝડપથી રાહત મળશે

Ahmedabad Samay

દીપાવલીના દિવ્ય સંકલ્પો

Ahmedabad Samay

વાળ ખરવાની સારવાર: શું માથાના વાળ અડધા થઈ ગયા છે? આ આયુર્વેદિક ઉપાય અજમાવો, વાળ ખરશે નહીં

Ahmedabad Samay

Curry Leaves Benefits: શું પરિવાર હંમેશા રોગોથી ઘેરાયેલું રહે છે? આ પાનનું સેવન કરો, મુશ્કેલી દૂર થતી જોવા મળશે

Ahmedabad Samay

કાબુલી ચણાની આ 3 રેસિપી સ્વાદમાં છોલેને પાછળ છોડી દેશે, બનાવવામાં સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Ahmedabad Samay

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો