મિત્રો દરેક વ્યક્તિ નિરંતર ૨૪ કલાક ધ્યાન માં જ હોય છે. આપણે એમ ન કહી શકીએ કે આપને
માત્ર થોડી વાર આસન પાથરી ને બેસીએ ત્યારેજ
ધ્યાન અવસ્થા. હોય.
ઉદાહરણ કોઈ બહેન ક્યારે ગેસ પર દૂધ કે અન્ય
વાનગી મૂકે છે ત્યારે ધ્યાન ક્યાં હોય છે ?
ક્યારે આપણે જમતા હોઈએ ત્યારે ઘ્યાન ક્યાં
હોય છે ?
ક્યારે આપણે કોઈ એક કાર્ય મહત્વ નું કરતા હોઈએ છીએ ત્યારે ઘ્યાન ક્યાં હોય છે ?
ક્યારે કઈક નવું વાંચતા હોઈએ છીએ ત્યારે ધ્યાન ક્યાં હોય છે ?
ક્યારે કોઈ ધાર્મિક કથા સાંભળ્યા હોઈએ ત્યારે ધ્યાન ક્યાં હોય છે ?
જ્યારે કોઈ જગ્યા એ ફરવા. જઈએ છીએ ત્યારે
ધ્યાન ક્યાં હોય છે ?
જ્યારે શોપિંગ મોલ માં ખરીદી કોઈ જરૂરી વસ્તુ ની કરવા જઈએ છીએ ત્યારે ધ્યાન ક્યાં હોય છે
આખા દિવસ માં માત્ર સ્વયં અવલોકન કરીએ તો
મિત્રો ધ્યાન આપણું એક સાથે બે જગ્યા એ
વહેચાયેલું દેખાય છે. અને જે આપને સ્વયં
અનુભવ પણ કરીએ છીએ. દરેક કાર્ય કરતી વખતે અન્ય કોઈ વિચાર એટલે કે આપણી અસીમ ઊર્જા બે જગ્યા વહેચાઈ જાય છે. અને આપને બંને ને ન્યાય બરાબર ક્યારેક તો પૂર્ણ નથી આપી શકતા.
આપણે પૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છીએ આ ભોતિક જગત ને જોવા અને જાણવા માટે જે આંખ મળી છે એના માધ્યમ થી .અને આ આંખ ની નસો સીધી મસ્તિષ્ક થી
જોડાયેલી છે. અને મસ્તિષ્ક ઊર્જા થી .હવે જો કોઈ અગસ્ત્ય નું કાર્ય કરતા મોબાઈલ ની notification જોવાની ઈચ્છા થાય કે બીજા અન્ય કાર્ય કરવાની ઈચ્છા થાય. તો. સમજો આપણે એક સાથે બે તલવાર મ્યાન માં રાખવાની કોશિશ કરીએ છીએ. અને આવું કરવા થી આપણી ઊર્જા જે ખુબજ મૂલ્ય વાન છે. તે વ્યર્થ વપરાઈ જાય છે.
ઉદાહરણ : આપણે જમતા જમ્યા ટીવી જોઈએ તો ઊર્જા ઉત્પન્ન જમવાથી થતી હોય છે. પણ ટીવી બીજી બાજુ જોવાના લીધે તેજ ઊર્જા
જેવી ઉત્પન્ન થાય છે. તે ખાવા થી પેટ અને પેટ ની
ઊર્જા આખો માંથી ટીવી માં જવા થી શરીર પોતાનું સંચાલન બરાબર નથી કરી શકતું.
અને તેનાથી ગેસ, એસિડિટ , અપચો થાય છે.
મોટિવેશન સ્પીકર: વિજય કોતાપકર
