March 23, 2026
ગુજરાત

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

અમેરિકા જતા નવ લોકો ગુમ થવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં પ્રાંતિજ વિસ્તારના એક પરીવારે આ મામલે પોલીસ ફરીયાદ પણ નોંધાવી હતી. ત્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે અમેરિકા જતા નવ લોકો ગુમ થવાના કેસમાં રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે 9 પરિવારોની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે સરકાર શું પગલાં લઈ રહી છે. પરિવારો વતી વકીલ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી અમેરિકા ગયેલા નવ લોકો ગુમ થવાના મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.  કબૂતરબાજીના શિકારની ઘટના અંગે સાબરકાંઠા પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસ ફરિયાદમાં ગાંધીનગરના ડીંગુચાનું કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારે પીડિતાના પરિવારજનો માટે વકીલે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલા નવ લોકોના સંબંધીઓ દ્વારા કાર્યવાહીની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

સત્યને ઉજાગર કરવા માટે, પરિવારોના વકીલે પીઆઈએલ દાખલ કરી છે.  ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે. અરજીમાં ગુમ થયેલા લોકોની જીવલેણ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ઝડપી કરવા કોર્ટને વિનંતી કરવામાં આવી હતી. આ પછી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.

Related posts

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

મોડીરાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયું

Ahmedabad Samay

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો