June 24, 2026
ગુજરાત

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

અમેરિકા જતા નવ લોકો ગુમ થવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં પ્રાંતિજ વિસ્તારના એક પરીવારે આ મામલે પોલીસ ફરીયાદ પણ નોંધાવી હતી. ત્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે અમેરિકા જતા નવ લોકો ગુમ થવાના કેસમાં રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે 9 પરિવારોની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે સરકાર શું પગલાં લઈ રહી છે. પરિવારો વતી વકીલ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી અમેરિકા ગયેલા નવ લોકો ગુમ થવાના મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.  કબૂતરબાજીના શિકારની ઘટના અંગે સાબરકાંઠા પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસ ફરિયાદમાં ગાંધીનગરના ડીંગુચાનું કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારે પીડિતાના પરિવારજનો માટે વકીલે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલા નવ લોકોના સંબંધીઓ દ્વારા કાર્યવાહીની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

સત્યને ઉજાગર કરવા માટે, પરિવારોના વકીલે પીઆઈએલ દાખલ કરી છે.  ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે. અરજીમાં ગુમ થયેલા લોકોની જીવલેણ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ઝડપી કરવા કોર્ટને વિનંતી કરવામાં આવી હતી. આ પછી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.

Related posts

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

Ahmedabad Samay

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

એક ટિપ્પણી મૂકો