February 6, 2026
ગુજરાત

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

અમેરિકા જતા નવ લોકો ગુમ થવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં પ્રાંતિજ વિસ્તારના એક પરીવારે આ મામલે પોલીસ ફરીયાદ પણ નોંધાવી હતી. ત્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે અમેરિકા જતા નવ લોકો ગુમ થવાના કેસમાં રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે 9 પરિવારોની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે સરકાર શું પગલાં લઈ રહી છે. પરિવારો વતી વકીલ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતમાંથી અમેરિકા ગયેલા નવ લોકો ગુમ થવાના મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.  કબૂતરબાજીના શિકારની ઘટના અંગે સાબરકાંઠા પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસ ફરિયાદમાં ગાંધીનગરના ડીંગુચાનું કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારે પીડિતાના પરિવારજનો માટે વકીલે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલા નવ લોકોના સંબંધીઓ દ્વારા કાર્યવાહીની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

સત્યને ઉજાગર કરવા માટે, પરિવારોના વકીલે પીઆઈએલ દાખલ કરી છે.  ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે. અરજીમાં ગુમ થયેલા લોકોની જીવલેણ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ઝડપી કરવા કોર્ટને વિનંતી કરવામાં આવી હતી. આ પછી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે.

Related posts

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી

Ahmedabad Samay

સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી

Ahmedabad Samay

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો