November 2, 2024
મનોરંજન

આદિપુરુષની ટ્રોલિંગ બાદ પણ ફરીથી સ્ક્રીન પર જોવા મળશે રામાયણ, જાણો આ વખતે શું હશે ખાસ

ભગવાન રામ અને રામાયણ પ્રત્યે લોકોની ઊંડી શ્રદ્ધા જોડાયેલી છે. તાજેતરમાં, ઓમ રાઉતે આદિપુરુષ ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જે ભગવાન રામ અને રામાયણ પર આધારિત હતી. જો કે, આ ફિલ્મે લોકોની શ્રદ્ધા અને ભાવનાઓને ઘણી ઠેસ પહોંચાડી હતી. ફિલ્મને લઈને વિવિધ સ્થળોએ વિરોધ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું હતું કે આ ફિલ્મમાં પાત્રોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ ખોટી ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, આ વિવાદો અને આદિપુરુષ પ્રત્યેની નારાજગી વચ્ચે રામાયણને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

વાત એમ છે કે તાજેતરમાં જ સોની ટીવીની યુટ્યુબ ચેનલ પર શ્રીમદ રામાયણનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામના આગમન પર અયોધ્યા શહેરમાં દીવા પ્રગટાવવામાં આવે છે. તે પછી શ્રી રામની છબી દેખાય છે, ત્યારબાદ પૃષ્ઠભૂમિમાં સંવાદ વાગે છે – સંસ્કૃતિનું ગૌરવ, સંસ્કારોનું શિખર, ભક્તિનો મહાન મંત્ર – શ્રી રામની કથા, શ્રીમદ રામાયણ.

વર્ષ 2024માં ટેલિકાસ્ટ થશે આ શો

જણાવી દઈએ કે કે શ્રીમદ રામાયણ શો સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. જે વર્ષ 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે. હાલમાં, આ શોના કલાકારોને લઈને કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી કે આ શોમાં ભગવાન રામ અને માતા સીતાનું પાત્ર કોણ ભજવવાનું છે.

ચાહકોએ વ્યક્ત કરી આશા

ત્યારે હવે લોકો આ પ્રોમો વીડિયો પર જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે તે આદિપુરુષ કરતાં ઘણી સારી છે. આ સાથે એક યુઝરે લખ્યું – રામાનંદ સાગરની રામાયણને કોઈ પણ માત ન આપી શકે, પરંતુ મારી ઈચ્છા છે કે આ શોમાં પ્રભુ શ્રી રામનું પાત્ર સૌરભ રાજ જૈન ભજવે. અન્ય એક યુઝરે લખ્યું- હું સૌરભ જૈનને રામના રોલમાં જોવા માટે રાહ જોઈ રહ્યો છું.

Related posts

સંજુબાબ ચિતોડગડના શ્રી સંવલિયાના મંદિરે દર્શને પોહચ્યા

Ahmedabad Samay

સિંઘમ 3, ૨૦૨૪માં થશે રિલીઝ, ફિલ્મમાં અર્જુન કપૂર વિલન તરીકે દેખાશે.

Ahmedabad Samay

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ત્રીજા દિવસે ઝડપી, ફિલ્મે જીતી લીધા ચાહકોના દિલ

Ahmedabad Samay

શેરશાહના અભિનયથી તેણે સાબિત કર્યુ છે કે તે બીજા રોલ પણ બખુબી ખુબ સારી રીતે નિભાવી શકે છે

Ahmedabad Samay

જ્યારે ‘રામાયણ’ના રાવણે હેમા માલિનીને 20 થપ્પડ મારી, જાણો આગળ શું થયું?

admin

ફિલ્મ ઇમર્જન્સી’ની રિલીઝ પહેલા કંગના રનૌતને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો