March 25, 2025
Other

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં રાયખડ વિસ્તારમાં આવેલ શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણા વર્ષોથી મંદિરમાં શ્રાવણ માસમાં અમાસના દિવસે વિશેષ પૂજા, નૈવેદ્ય તથા મહાપ્રસાદ ભંડારાનું આયોજનું આયોજન કરવામાં આવ્યું હતું

આ વર્ષે ભારત સરકાર દ્વારા સૂચિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે તથા “ગુજરાત રાજ્ય સંગીત અને નાટક અકાદમી ગુજરાત સરકાર” ના આર્થિક સહયોગથી શ્રાવણ મહોત્સવ-૨૦૨૩નું ભવ્ય આયોજન તા. ૧૦-૦૯-૨૦૨૩, રવિવારના રોજ સ્વ. શ્રી શ્યામપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હૉલ, ખોખરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં ચિત્રકલા, રામાયણ પ્રશ્નોત્તરી સ્પર્ધા, ગીત-સંગીત, નૃત્ય અને લોકનૃત્ય જેવા વિવધ કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા. આ આયોજનનો ઉદ્દેશ્ય સમાજના અલગ અલગ વયજૂથના લોકોમાં રહેલી પ્રતિભાઓને મંચ પૂરું પાડવાનો હતો .

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમ સ્થળના વિધાનસભા ક્ષેત્ર મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, તથા સ્થાનિક કોર્પોરેટર શ્રીમતી શિવાનીબેન જનઈકર, જયંતભાઈ રાવલ, તથા … એ હાજરી આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું ઝીણવટભર્યુ આયોજન અને સંચાલન મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, પંચના સભ્યો, યુવા સમિતિના કાર્યકર્તાઓ, મહિલા સમિતિના કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકોના સંકલન દ્વારા કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમોના મધ્ય ભાગમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ વિજેતાઓને પારિતોષિક આપવામાં આવ્યા હતાં. તથા શૈક્ષણિક પરીક્ષામાં સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકો મહાપ્રસાદ ભોજન લઈને  કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 6ઠ્ઠી U20 સાયકલ માટેની U20 મેયોરલ સમિટ 7 થી 8 જૂલાઈએ યોજાશે

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો