June 24, 2026
Other

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

ઉત્તરાખંડના પૂજ્ય ગુરુદેવ શ્રી વિકાસ તારામણીજીના સાનિધ્યમાં તા 14‌ ઓક્ટોબર ના રોજ સાંજે 5 કલાકે થી અમદાવાદ ખાતે 500 થી વધારે હિન્દુઓ કરશે શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞ

મળતી માહિતી મુજબ આયોજક નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ તથા નમો સેનાના સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણા સનાતન ધર્મમાં દિવાળી પર્વની ખરેખર તો નવરાત્રીના પાવન પર્વે જ શરુઆત થઈ જાય છે ત્યારે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા સંસ્કારને ફરીથી એક પૌરાણિક ઓળખ તરીકે પ્રસ્થાપિત કરવા નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે જ શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞથી એક સારી શરૂઆત કરીએ એવા ઉદ્દેશથી તા 14‌ ઓક્ટોબર 2023 શનિવારના રોજ સાંજે 5 કલાકે થી રાત્રે 12 વાગ્યા સુધી શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞનુ નિઃશુલ્ક અને સાર્વજનિક રીતે સૌ સનાતની હિંદુ ધર્મના પરિવારજનો આ યજ્ઞનો લાભ લઇ શકે એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,

આ યજ્ઞમાં ભાગ લેવા માટે નિઃશુલ્ક રૂપે યજમાન તરીકે પહેલેથી નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેથી વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે આ યજ્ઞમાં દંપતી તથા સિંગલ વ્યક્તિ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક રીતે શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞમાં ભાગ લઈ શકે છે ભાગ લેનાર તમામે માત્ર ઘરેથી કમળ કાકડી તથા ઘી લાવવાનું રહેશે વધુ માહિતી તથા નામ રજીસ્ટ્રેશન માટે નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ 9974864488 સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી 7016682158 તથા નમો સેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે

Related posts

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેત કરાયું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

શ્રી નાથુરામ ગોડસે જીની જન્મજયંતિ કર્ણાવતી મહાનગરમાં હિન્દુ સેના દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો