May 9, 2026
Other

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

ઉત્તરાખંડના પૂજ્ય ગુરુદેવ શ્રી વિકાસ તારામણીજીના સાનિધ્યમાં તા 14‌ ઓક્ટોબર ના રોજ સાંજે 5 કલાકે થી અમદાવાદ ખાતે 500 થી વધારે હિન્દુઓ કરશે શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞ

મળતી માહિતી મુજબ આયોજક નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ તથા નમો સેનાના સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણા સનાતન ધર્મમાં દિવાળી પર્વની ખરેખર તો નવરાત્રીના પાવન પર્વે જ શરુઆત થઈ જાય છે ત્યારે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા સંસ્કારને ફરીથી એક પૌરાણિક ઓળખ તરીકે પ્રસ્થાપિત કરવા નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે જ શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞથી એક સારી શરૂઆત કરીએ એવા ઉદ્દેશથી તા 14‌ ઓક્ટોબર 2023 શનિવારના રોજ સાંજે 5 કલાકે થી રાત્રે 12 વાગ્યા સુધી શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞનુ નિઃશુલ્ક અને સાર્વજનિક રીતે સૌ સનાતની હિંદુ ધર્મના પરિવારજનો આ યજ્ઞનો લાભ લઇ શકે એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,

આ યજ્ઞમાં ભાગ લેવા માટે નિઃશુલ્ક રૂપે યજમાન તરીકે પહેલેથી નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેથી વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે આ યજ્ઞમાં દંપતી તથા સિંગલ વ્યક્તિ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક રીતે શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞમાં ભાગ લઈ શકે છે ભાગ લેનાર તમામે માત્ર ઘરેથી કમળ કાકડી તથા ઘી લાવવાનું રહેશે વધુ માહિતી તથા નામ રજીસ્ટ્રેશન માટે નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ 9974864488 સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી 7016682158 તથા નમો સેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે

Related posts

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો એવા મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો