March 25, 2025
Other

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

ઉત્તરાખંડના પૂજ્ય ગુરુદેવ શ્રી વિકાસ તારામણીજીના સાનિધ્યમાં તા 14‌ ઓક્ટોબર ના રોજ સાંજે 5 કલાકે થી અમદાવાદ ખાતે 500 થી વધારે હિન્દુઓ કરશે શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞ

મળતી માહિતી મુજબ આયોજક નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ તથા નમો સેનાના સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણા સનાતન ધર્મમાં દિવાળી પર્વની ખરેખર તો નવરાત્રીના પાવન પર્વે જ શરુઆત થઈ જાય છે ત્યારે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા સંસ્કારને ફરીથી એક પૌરાણિક ઓળખ તરીકે પ્રસ્થાપિત કરવા નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે જ શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞથી એક સારી શરૂઆત કરીએ એવા ઉદ્દેશથી તા 14‌ ઓક્ટોબર 2023 શનિવારના રોજ સાંજે 5 કલાકે થી રાત્રે 12 વાગ્યા સુધી શ્રી મહાલક્ષ્મી પૂજન યજ્ઞનુ નિઃશુલ્ક અને સાર્વજનિક રીતે સૌ સનાતની હિંદુ ધર્મના પરિવારજનો આ યજ્ઞનો લાભ લઇ શકે એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,

આ યજ્ઞમાં ભાગ લેવા માટે નિઃશુલ્ક રૂપે યજમાન તરીકે પહેલેથી નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેથી વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે આ યજ્ઞમાં દંપતી તથા સિંગલ વ્યક્તિ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક રીતે શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞમાં ભાગ લઈ શકે છે ભાગ લેનાર તમામે માત્ર ઘરેથી કમળ કાકડી તથા ઘી લાવવાનું રહેશે વધુ માહિતી તથા નામ રજીસ્ટ્રેશન માટે નમો સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌરવસિંહ ચૌહાણ 9974864488 સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી 7016682158 તથા નમો સેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે

Related posts

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

કતલ ખાને લઈ જવાતા ૭ પાળિયા ( ભેંસો ) મહિન્દ્રા બોલેરોમાં ભરેલી હોય ની બાતમી આધારે VHP, બજરંગદળ દ્વારા પકડી પાડ્યા

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

Ahmedabad Samay

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો