June 22, 2026
ગુજરાત

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા છે. વીજળી પડવાથી ૨૯ મકાનોને નુકસાન પહોંચ્‍યું છે. કુલ ૨૯ કાચા પાકા મકાન ધરાશાયી થયા છે. સૌથી વધુ સુરતના ૨૫ ગામમાં બનાવ બન્‍યા છે.

શિયાળામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ભારે સંકટમાં મુકાયા છે. રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકંમાં કમોસમી વરસાદથી ઉભા પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, એરંડા, સોયાબીન ઉપરાંત ધાણા, જીરૂ જેવા પાક પણ નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે. કપાસનો પાક ઢળી પડતા કપાસનો ઉતારો ૨૫ મણના બદલે ૧૫ મણ થાય તેવી શકયતા વ્‍યક્‍ત કરાઇ છે.

કપાસના ભાવ પણ ઓછા મળવાની ભીતિ વચ્‍ચે મહેનત અને ખર્ચ માથ પડે તેવો તાલ સર્જાયો છે. સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માગ કરી છે. તે ઉપારાંત સરકાર દ્વારા ખેડૂતોના તૈયાર પાક માટે વિશાળ ગોડાઉન બનાવાય તેવી પણ માગ કરાઇ છે.

રાજ્‍યમાં કમોસમી વરસાદે ખેતી પાકમાં સોથ વાળી દીધો છે. સુરેન્‍દ્રનગરના વઢવાણ તાલુકાના ૪૫ ગામમાં રવીપાકને મોટુ નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જીરું, અજમો, ઘઉં, વરિયાળી સહિતના રવીપાકને વ્‍યાપક નુકસાન થયું છે.

ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓ પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પર માવઠાએ પાણી ફેરવી દીધુ છે. ભારે પવનના કારણે એરંડાનો પાક આડો પડી જમીનદોષ થયો છે. હાલ ખેડૂતો સરકાર પર સહાયની આશ રાખીને બેઠા છે. ખેડૂતોએ નુકસાન અંગે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.

Related posts

ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્‍ટર સ્‍મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે થયું અવસાન

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો