May 8, 2026
ગુજરાત

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા છે. વીજળી પડવાથી ૨૯ મકાનોને નુકસાન પહોંચ્‍યું છે. કુલ ૨૯ કાચા પાકા મકાન ધરાશાયી થયા છે. સૌથી વધુ સુરતના ૨૫ ગામમાં બનાવ બન્‍યા છે.

શિયાળામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ભારે સંકટમાં મુકાયા છે. રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકંમાં કમોસમી વરસાદથી ઉભા પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, એરંડા, સોયાબીન ઉપરાંત ધાણા, જીરૂ જેવા પાક પણ નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે. કપાસનો પાક ઢળી પડતા કપાસનો ઉતારો ૨૫ મણના બદલે ૧૫ મણ થાય તેવી શકયતા વ્‍યક્‍ત કરાઇ છે.

કપાસના ભાવ પણ ઓછા મળવાની ભીતિ વચ્‍ચે મહેનત અને ખર્ચ માથ પડે તેવો તાલ સર્જાયો છે. સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માગ કરી છે. તે ઉપારાંત સરકાર દ્વારા ખેડૂતોના તૈયાર પાક માટે વિશાળ ગોડાઉન બનાવાય તેવી પણ માગ કરાઇ છે.

રાજ્‍યમાં કમોસમી વરસાદે ખેતી પાકમાં સોથ વાળી દીધો છે. સુરેન્‍દ્રનગરના વઢવાણ તાલુકાના ૪૫ ગામમાં રવીપાકને મોટુ નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જીરું, અજમો, ઘઉં, વરિયાળી સહિતના રવીપાકને વ્‍યાપક નુકસાન થયું છે.

ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓ પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પર માવઠાએ પાણી ફેરવી દીધુ છે. ભારે પવનના કારણે એરંડાનો પાક આડો પડી જમીનદોષ થયો છે. હાલ ખેડૂતો સરકાર પર સહાયની આશ રાખીને બેઠા છે. ખેડૂતોએ નુકસાન અંગે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.

Related posts

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Ahmedabad Samay

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો