August 8, 2026
અપરાધતાજા સમાચારદેશ

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરાઇ

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા સ્કૂટી લઇ આવેલા બદમાશોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પર ગોળીબાર કર્યો છે.

બદમાશોએ શ્યામ નગર વિસ્તારમાં સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારી. સુખદેવ સિંહ ગોગામેડીને ગંભીર હાલતમાં માનસરોવરની મેટ્રો માસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મંગળવારે, સ્કૂટી સવાર બદમાશોએ ગોગામેડી પર દિવસભર ગોળીબાર કર્યો હતો. પછી તેઓ ફરાર થઈ ગયા હતા.

મંગળવારે બપોરે લગભગ ૧:૪૫ વાગ્યે સુખદેવ સિંહ શ્યામ નગર જનપથ પર ગોગામેડીને એક સ્કૂટર પર બે બદમાશો આવ્યા હતા. બદમાશોએ ગોગામેડી પર  રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે.સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે.

ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ છે. તેઓ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખાવતે આ અંગે પ્રતિસાદ આપતા જણાવ્યુ કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીજી ની આજે જયપુરના શ્યામ નગર વિસ્તારમા ગોળી મારીને હત્યા કરવામા આવી હતી,કરણી સેના દ્વારા સરકારને વિનંતી કરવામા આવી છે કે આ હત્યા અને હત્યારા જે પણ હોય તેની સામે તાત્કાલિક પગલા લેવામા આવે, શક્ય તેટલી વહેલી તકે ફાસી આપવામા આવે અને તેના અંત સુધી પહોંચવાનો પ્રયાસ કરવામા આવે,નહી તો કરણી સેના ટૂંક સમયમા વિધાનસભાનો ઘેરાવ કરશે.

Related posts

અયોધ્‍યામાં રામ મંદિરમાં અદ્‌ભૂત, અલૌકિક અને ભવ્‍ય દિવ્‍ય નજારો જોવા મળ્‍યો

Ahmedabad Samay

વટવા:રમવાની ના પડવાની બાબતમાં યુવકને છરીના ઘા ઝીંકાય

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર હુમલા બાદ ભારત-નેપાળ બોર્ડર પર આઠ ડ્રોન મળી આવતાં

Ahmedabad Samay

ગાંધીનગર: ઘરકામ બાબતે ઠપકો આપ્યો તો 19 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું!

Ahmedabad Samay

PM નરેન્‍દ્ર મોદી સહિત સુરક્ષા દળો પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા સામે કાનૂની પગલા લેવાશે

Ahmedabad Samay

સુરત- વિજિલન્સ ટીમે 21 લાખની કિંમતનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો