રણબીર કપુર અને સંદિપ રેડ્ડીની ફિલ્મ એનિમલને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી તો આ ફિલ્મને રિલિઝ થયાને માત્ર છ દિવસો થયા છે. છતાં ફિલ્મે ૨ કરોડની વધુની કમાણી કરી દીધી છે. આ ફિલ્મને પ્રેક્ષકોનો એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે થિયેટર પાસે પબ્લિક માટે જગ્યા ખાલી નથી. તેથી હવે મુંબઇના થિયેટરમાં આ ફિલ્મનું ૨૪ કલાક સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ફિલ્મે પાંચમાં દિવસે ૩૮.૨૫ કરોડની કમાણી કરી હતી. જો પાચં દિવસની ટોટલ કમાણીની વાચ કરીએ તો આ ફિલ્મે પાંચ દિવસમાં કુલ ૨૮૩.૭૪ કરોડ કમાવ્યા છે. આ રણબીર કપુરની કારકીર્દીની બીજી એવી ફિલ્મ છે જે ધૂમ કમાણી કરી રહી છે. જોકે રણબીરની સંજુ હજી પણ આ મામલે ટોપ પર જ છે.
મળતી માહિતી મુજબ એનિમલ ફિલ્મને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શો ફૂલ થઇ જાય છે પણ પ્રેક્ષકોનો ઘસારો વધી જ રહ્યો છે. તેથી મુંબઇના થિયેટરના માલિકોએ આ ફિલ્મના શો ૨૪ કલાક ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મોડી રાત્રે બે વાગે અને વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના શો પણ હશે.
મુંબઇના મેક્સેસ સિનેમામાં મોડી રાતે ૧ વાગે, ૨ વાગે અને વહેલી સવારે ૫:૩૦ના શો ઉમેરવામાં આવ્યા છે. જ્યારે પીવીઆર ઓબેરોય મોલ અને પીવીઆર સિટી મોલ દ્વારા રાજે ૧૨.૩૦ અને રાતે ૧.૦૫નો શો ઉમેરવામાં આવ્યો છે.
એટલું જ નહીં પણ દિલ્હી અને હૈદરાબાદમાં પણ મોડી રાતે ૧૧ અને ૧૧.૪૦ના શો જોવા સૌથી વધુ લોકો આવી રહ્યાં છે.
