May 8, 2026
તાજા સમાચારમનોરંજન

એનિલ્મ મુવી માટે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો

રણબીર કપુર અને સંદિપ રેડ્ડીની ફિલ્‍મ એનિમલને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી તો આ ફિલ્‍મને રિલિઝ થયાને માત્ર છ દિવસો થયા છે. છતાં ફિલ્‍મે ૨ કરોડની વધુની કમાણી કરી દીધી છે. આ ફિલ્‍મને પ્રેક્ષકોનો એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે થિયેટર પાસે પબ્‍લિક માટે જગ્‍યા ખાલી નથી. તેથી હવે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

આ ફિલ્‍મે પાંચમાં દિવસે ૩૮.૨૫ કરોડની કમાણી કરી હતી. જો પાચં દિવસની ટોટલ કમાણીની વાચ કરીએ તો આ ફિલ્‍મે પાંચ દિવસમાં કુલ ૨૮૩.૭૪ કરોડ કમાવ્‍યા છે. આ રણબીર કપુરની કારકીર્દીની બીજી એવી ફિલ્‍મ છે જે ધૂમ કમાણી કરી રહી છે. જોકે રણબીરની સંજુ હજી પણ આ મામલે ટોપ પર જ છે.

મળતી માહિતી મુજબ એનિમલ ફિલ્‍મને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શો ફૂલ થઇ જાય છે પણ પ્રેક્ષકોનો ઘસારો વધી જ રહ્યો છે. તેથી મુંબઇના થિયેટરના માલિકોએ આ ફિલ્‍મના શો ૨૪ કલાક ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મોડી રાત્રે બે વાગે અને વહેલી સવારે સાડા પાંચ વાગ્‍યાના શો પણ હશે.

મુંબઇના મેક્‍સેસ સિનેમામાં મોડી રાતે ૧ વાગે, ૨ વાગે અને વહેલી સવારે ૫:૩૦ના શો ઉમેરવામાં આવ્‍યા છે. જ્‍યારે પીવીઆર ઓબેરોય મોલ અને પીવીઆર સિટી મોલ દ્વારા રાજે ૧૨.૩૦ અને રાતે ૧.૦૫નો શો ઉમેરવામાં આવ્‍યો છે.

એટલું જ નહીં પણ દિલ્‍હી અને હૈદરાબાદમાં પણ મોડી રાતે ૧૧ અને ૧૧.૪૦ના શો જોવા સૌથી વધુ લોકો આવી રહ્યાં છે.

Related posts

મ્યાનમારમાં શુક્રવારે બપોરે 12:50 વાગ્યે  7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે દક્ષિણપૂર્વ એશિયાના વિશાળ વિસ્તારમાં ઇમારતોને હચમચાવી દીધી

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા

Ahmedabad Samay

સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ આજે થશે રિલીઝ

Ahmedabad Samay

  શોલેનો ‘સૂરમા ભોપાલી’ શેરીઓમાં વેચતો હતો સાબુ-દાંતિયા, આ રીતે મળ્યું ફિલ્મોમાં કામ

Ahmedabad Samay

ભારતમા પ્રથમ વખત MotoGP રેસનુ આયોજન થશે.

Ahmedabad Samay

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો