August 7, 2026
તાજા સમાચારરમતગમત

કિસ્મત ચમકી, તમ્બુમાં રહેતા યશસ્‍વી જયસ્‍વાલે એક્‍સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્‍ટ ખરીદ્યું

ભારતીય ક્રિકેટ ટીમની યુવા સ્‍ટાર યશસ્‍વી  જયસ્‍વાલ ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવી રહ્યો છે  માત્ર ૨૨ વર્ષની ઉંમરે તેણે ૨૨ વર્ષનો અનુભવ ધરાવતા જેમ્‍સ એન્‍ડરસનની ધોલાઈ કરી હતી ઇંગ્‍લેન્‍ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્‍ટ શ્રેણીમાં તે સતત બે બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેમની સાથે જોડાયેલા અન્‍ય એક સમાચાર સામે આવ્‍યા છે કે યશસ્‍વી જયસ્‍વાલે મુંબઈમાં લગભગ ૫.૫ કરોડ રૂપિયાનો ફલેટ ખરીદ્યો છે.

યશસ્‍વી જયસ્‍વાલે એક્‍સ બીકેસીમાં ૫.૪ કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્‍ટ ખરીદ્યું છે. લાયસેસ ફોરાસ દ્વારા મેળવેલા રજીસ્‍ટ્રેશન દસ્‍તાવેજો અનુસાર, બાંદ્રા (પૂર્વ) બિલ્‍ડિંગની વિંગ ૩ માં ૧,૧૦૦ ચોરસ ફૂટનો ફલેટ ૭ જાન્‍યુઆરીએ નોંધાયેલ હતો. આ સોદો રૂપિયા ૪૮,૪૯૯ પ્રતિ ચોરસ ફૂટના ભાવે થયો હતો. આ ફલેટ ખરીદવાની વાત ઘણા સમયથી ચાલી રહી હતી. તેના ટેસ્‍ટ ડેબ્‍યુ સમયે તે શિફટને લઈને ઉત્‍સાહિત હતો.

એક સમય એવો હતો જયારે તે નાના બાળક તરીકે મુંબઈ આવ્‍યો હતો અને આઝાદ મેદાનમાં તંબુમાં રહેતો હતો. તે યુપીના બદોહી જિલ્લાના એક ગામનો રહેવાસી છે. પોતાના ક્રિકેટ સપનાને પાંખો આપવા તે મુંબઈ આવ્‍યો અને ત્‍યાં કોચ મળ્‍યો. એટલું જ નહીં, એક સમયે તેણે પાણીપુરી વેચતા એક ફેરિયાની પણ મદદ કરી હતી. અવારનવાર તેની તે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

ડાબા હાથના ઓપનિંગ બેટ્‍સમેને બેવડી સદી ફટકારી ભારતને રાજકોટમાં ત્રીજી ટેસ્‍ટમાં ઈંગ્‍લેન્‍ડ સામે ૪૩૪ રનથી જીત અપાવી હતી. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ તોડ્‍યા. તે એક ઇનિંગમાં ૧૨ સિક્‍સર મારનાર વિશ્વનો બીજો અને ભારતમાં પ્રથમ ક્રિકેટર બન્‍યો. જયસ્‍વાલ ૨૦૨૦ના અંડર

Related posts

દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે

Ahmedabad Samay

CSK vs MI Highlights: જાડેજા અને રહાણેએ ચેન્નઇને અપાવી જીત, મુંબઇની સતત બીજી હાર

Ahmedabad Samay

PAK vs NZ: ન્યુઝીલેન્ડે માત્ર 6 રનમાં ગુમાવી 5 વિકેટ, પાકિસ્તાને88 રનથી જીતી પ્રથમ T20

Ahmedabad Samay

પીસીબીના વડા નજમ સેઠીએ એશિયા કપ 2023ની યજમાની માટે ACC સભ્યોનો ટેકો માંગ્યો, કહ્યું કે BCCI વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટ બંધીની તમામ માહિતી, આ રહી સંપૂર્ણ સચોટ માહિતી

Ahmedabad Samay

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાને વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવા માટે લૉન મેળાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો