May 12, 2026
ગુજરાત

L.G હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

એલ.જી.હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,

કેન્દ્ર સરકાર એક તરફ ઓલિમ્પિકની તૈયારી કરે છે અને ગુજરાત સરકાર “રમશે ગુજરાત.. જીતશે ગુજરાત” ની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળા ના એક ખુલ્લા મેદાન નો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે આ ખુલ્લા મેદાન ની જમીન કોર્પોરેશનને દાતા દ્વારા દાનમાં મળેલ છે અને તેનો ઉપયોગ ભાવી રમતવીરો તૈયાર થાય તે માટે દાનમાં આપવામાં આવેલ છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનનો મૂળ હેતુ બાજુએ મૂકીને મેરેજ,રિસેપ્શન,ફટાકડા બજાર, પતંગ બજાર,ખાનગી અને સામાજિક પ્રસંગો વગેરે માટે આપીને રોકડી કરે છે પરંતુ રમતવીર યુવાનો આ મેદાનમાં આવી ને કસરત કરે,દૌડ કરે વ્યાયામ કરે તે કોઈ ઉપયોગ થતો નથી એટલું જ નહીં રમત ગમતનું મેદાન નો ઉપયોગ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ પણ કરતા હોય છે.

તેથી આજરોજ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ મણીનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ ના અગ્રણીઓ શ્રી દેવેન્દ્રસિંહ વાઘેલા,અજય દેસાઈ ની આગેવાની હેઠળ મેદાન ખાતે ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે માગણી કરી હતી કે મૂળ હેતુ મુજબ રમત ગમતના મેદાન તરીકે જ તેનો ઉપયોગ થાય આ ઉપરાંત કોર્પોરેશન રમતગમતની સુવિધાઓ પ્રજાના પૈસે વિકસાવીને ખાનગી સંચાલકોને પીપીપી ના ધોરણે મૂકવામાં આવી છે પરિણામે જીમ અને સ્કેટિંગ ની મોટી ફી ના કારણે ગરીબ મધ્યમ વર્ગના યુવાનો તેનો લાભ મળી શકતો નથી આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીતિ ઘડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

Related posts

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

Ahmedabad Samay

લોકડાઉન૪.૦ માં ગુજરાતમાં શુ ખુલશે અને શુ નહિ ખુલ્લે, સાંજ સુધી થશે જાહેરાત

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો