August 8, 2026
તાજા સમાચારદેશ

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે, જેથી તેમને ૧૫ માર્ચ પછી પેમેન્‍ટને લઇને કોઇ સમસ્‍યાનો સામનો કરવો પડે નહીં, એમ પેટીએમ યુઝર્સને ભારતીય રિઝર્વ બેન્‍ક (RBI)ના ગવર્નર શક્‍તિકાંત દાસે અપીલ કરી હતી.

લગભગ ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ વપરાશકર્તાઓને નિયમનકારી પગલાંને કારણે કોઈ વિક્ષેપનો સામનો કરવો પડશે નહીં, અને બાકીના વપરાશકર્તાઓને તેમની એપ્‍લિકેશનને અન્‍ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે, એમ આરબીઆઈ ગવર્નર શક્‍તિકાંત દાસે જણાવ્‍યું હતું.

બુધવારે શક્‍તિકાંત દાસે કહ્યું હતું કે ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ યુઝર્સને નિયમનકારી પગલાના કારણે કોઇ સમસ્‍યાનો સામનો કરવો પડશે નહી અને અન્‍ય યુઝર્સ પોતાની એપને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ્‍સ સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્‍કે ૩૧ જાન્‍યુઆરીએ રોજ પેટીએમ પેમેન્‍ટ્‍સ બેન્‍ક લિમિટેડને કોઈપણ ગ્રાહક ખાતામાં જમા રકમ, ક્રેડિટ ટ્રાજેક્‍શન અથવા ટોપ-અપ્‍સ સ્‍વીકારવા પર પ્રતિબંધ મૂકયો હતો. પેટીએમ પેમેન્‍ટ્‍સ બેન્‍ક સાથે જોડાયેલ વોલેટને અન્‍ય બેન્‍કો સાથે લિંક કરવાની સમયમર્યાદા ૧૫ માર્ચ નક્કી કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે ૧૫ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને તેને વધારવાની કોઈ જરૂર નથી તેમણે ઉમેર્યું હતું કે ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ અન્‍ય બેન્‍કો સાથે જોડાયેલા છે અને બાકીના ૧૫ ટકાને અન્‍ય બેન્‍કોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

Related posts

વોડાફોન આઈડિયા એક થઇ બન્યું “VI”

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Ahmedabad Samay

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

દિલ્લીમાં બે આંતકવાદીઓ ની ધરપકડ, મોટા કાવતરાને આપવાના હતા અંજામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો