May 9, 2026
તાજા સમાચારદેશ

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે, જેથી તેમને ૧૫ માર્ચ પછી પેમેન્‍ટને લઇને કોઇ સમસ્‍યાનો સામનો કરવો પડે નહીં, એમ પેટીએમ યુઝર્સને ભારતીય રિઝર્વ બેન્‍ક (RBI)ના ગવર્નર શક્‍તિકાંત દાસે અપીલ કરી હતી.

લગભગ ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ વપરાશકર્તાઓને નિયમનકારી પગલાંને કારણે કોઈ વિક્ષેપનો સામનો કરવો પડશે નહીં, અને બાકીના વપરાશકર્તાઓને તેમની એપ્‍લિકેશનને અન્‍ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે, એમ આરબીઆઈ ગવર્નર શક્‍તિકાંત દાસે જણાવ્‍યું હતું.

બુધવારે શક્‍તિકાંત દાસે કહ્યું હતું કે ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ યુઝર્સને નિયમનકારી પગલાના કારણે કોઇ સમસ્‍યાનો સામનો કરવો પડશે નહી અને અન્‍ય યુઝર્સ પોતાની એપને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ્‍સ સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્‍કે ૩૧ જાન્‍યુઆરીએ રોજ પેટીએમ પેમેન્‍ટ્‍સ બેન્‍ક લિમિટેડને કોઈપણ ગ્રાહક ખાતામાં જમા રકમ, ક્રેડિટ ટ્રાજેક્‍શન અથવા ટોપ-અપ્‍સ સ્‍વીકારવા પર પ્રતિબંધ મૂકયો હતો. પેટીએમ પેમેન્‍ટ્‍સ બેન્‍ક સાથે જોડાયેલ વોલેટને અન્‍ય બેન્‍કો સાથે લિંક કરવાની સમયમર્યાદા ૧૫ માર્ચ નક્કી કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે ૧૫ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને તેને વધારવાની કોઈ જરૂર નથી તેમણે ઉમેર્યું હતું કે ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ અન્‍ય બેન્‍કો સાથે જોડાયેલા છે અને બાકીના ૧૫ ટકાને અન્‍ય બેન્‍કોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

Related posts

મણિપુરમાં સેલ્ફીની બાબતે ફરી એકવાર હિંસા ફાટી નીકળી

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખવાની રેસમાં સૌથી આગળ

Ahmedabad Samay

વેકસીનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ

Ahmedabad Samay

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં RSS ની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિજયાદશમી ઉજવણીમાં સંબોધન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો