February 14, 2026
ગુજરાત

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

ચૂંટણી પંચ આગામી સપ્તાહે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસે પણ લોકસભા ચૂંટણી માટે તેમની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ ચૂંટણીને લઈને કેટલીક સંસ્થાઓના ઓપિનિયન પોલ બહાર આવ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ લોકસભા ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી છે

જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા પછી, રામભદ્રાચાર્ય મૈહરમાં શારદા દેવીના મંદિરે પહોંચ્યા. જગદગુરુ રામભદ્રાચાર્યએ રામ મંદિરના સ્વપ્નને સાકાર થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો સનાતન ધર્મની વિરુદ્ધ છે તેઓ રામ મંદિરને લઈને દુઃખી છે. રામ મંદિરમાં રામલલા હાજર રહે તે કરોડો ભક્તોનું સપનું હતું. આનાથી તમામ ભારતીયો ખુશ થયા છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી સીટો મળશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપને 370થી વધુ સીટો મળશે. 3 નવેમ્બર, 2023ના રોજ જગદગુરુ રામભદ્રાચાર્યએ ભવિષ્યવાણી કરી હતી કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની આગામી લોકસભા ચૂંટણી પર કોઈ અસર પડશે? તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ અસર નહીં થાય.

Related posts

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

નવા સંસદ ભવનમાં જામનગર પણ સહભાગી બન્યું, જિલ્લાની આ જાણીતી કંપનીએ ઐતિહાસિક કાર્યમાં આ રીતે આપ્યું અમૂલ્ય યોગદાન

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

સ્માર્ટમીટર વિશેની તમામ માહિતી, જાણો કેમ આવે છે વધુ બિલ

Ahmedabad Samay

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો