અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશનન સામે આવેલ પેટ્રોલપંપ અને ઓઢવ ખાતેના પેટ્રોલપંપ પર કોરોના વોરીયોર્સને લીટરે બે રૂપિયા ઓછી કિંમતે ડીઝલ અને પેટ્રોલ આપવામાં આવે છે. કોરોના વોરીયર્સ તરીકે ડોકટરો, નર્સ, વોર્ડ બોય, પોલીસ કર્મચારી, સફાઇ કર્મચારીઓ વગેરે બંન્ને પેટ્રોલપંપો પર આ સન્માન અપાયુ હતુ. આવું કરીને પેટ્રોલપંપ સંચાલકો દ્વારા આ વોરીયર્સને સન્માનીત કરાઇ રહયા છે.
આવી અનોખી પહેલ આખા દેશમાં કદાચ અમદાવાદમાં જ થઇ છે. શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ આ બંન્ને પેટ્રોલપંપોના માલિક એક જ છે. તેમનું નામ અજય જાની છે. અજય જાનીએ જણાવ્યું કે દિવસ રાત કોરોના વાયરસ વિરૂધ્ધ લડનાર આ વોરીયર્સના સન્માનમાં આ પગલું લેવાયું છે. તેમનું કહેવું છે કે આ કોઇ મોટી વાત નથી પણ આનાથી તેમનું સન્માન વધ્યુ છે. આ પ્રેરણા તેમને પોતાની માતા નિર્મળા જાની પાસેથી મળી છે.
