June 22, 2026
તાજા સમાચારદેશ

હલ્‍દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો, પોલીસ સ્‍ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો

હલ્‍દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, નજીકની છત પરથી પોલીસ પર પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો અને પેટ્રોલ બોમ્‍બથી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમણે  વધુમાં જણાવ્‍યું કે, જ્‍યારે નોટિસ આપવામાં આવી હતી, ત્‍યારે પથ્‍થરો ન હતા. CCTV દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

તેણે જણાવ્‍યું કે, પોલીસ સ્‍ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. પોલીસકર્મીઓને પોલીસ સ્‍ટેશનની બહાર જવા દેવામાં આવ્‍યા ન હતા. પોલીસ સ્‍ટેશનના રેકોર્ડ રૂમને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, જેથી તમામ રેકોર્ડ બળી ગયા હતા.

ત્રણ દિવસ પહેલા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક જ મિલકતને નિશાન બનાવવામાં આવી નથી. તમામ સ્‍થળોએ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

તેમણે કહ્યું કે, ગેરકાયદેસર મસ્‍જિદ અને કબરનું કાયદાકીય દસ્‍તાવેજોમાં કોઈ અસ્‍તિત્‍વ નથી. આ જમીન મહાનગરપાલિકાની છે. તેને પહેલેથી જ નોટિસ આપવામાં આવી હતી. આ ખરેખર ૨૦૦૭ નો ઓર્ડર હતો. અમારી તરફથી તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્‍યું હતું. જે પણ માળખું હતું, તે ગેરકાયદેસર હતું.

ઘાયલોમાં અનેક પોલીસકર્મીઓ, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ પોલીસ ટીમ સાથે મળીને સરકારી જમીન પર બનેલી મદરેસા અને મસ્‍જિદને તોડી પાડવામાં આવતા હોબાળો થયો હતો. મલિકના બગીચા વિસ્‍તારમાં ગેરકાયદેસર મદરેસા અને મસ્‍જિદ બનાવવામાં આવી હતી.

હાલ પોલીસ, પીએસી અને અર્ધલશ્‍કરી દળો જિલ્લામાં મોરચો સંભાળી રહ્યા છે. વહીવટીતંત્ર ગુરુવારે રાતભર તોફાનીઓની ઓળખ કરવામાં વ્‍યસ્‍ત રહ્યું હતું. હિંસા બાદ સીએમ પુષ્‍કર ધામીએ હલ્‍દવાનીના વનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને વહીવટી અધિકારીઓ પર હુમલાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Related posts

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

એનિમલ ફિલ્મે ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 116 કરોડની કમાણી કરી

Ahmedabad Samay

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત,હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની એન્ટ્રી

Ahmedabad Samay

ચીનની 52 જેટલી એપ્લિકેશન બ્લોક કરવાની ગુપ્તચર વિભાગ દ્વારા સલાહ

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો