May 7, 2026
ગુજરાત

વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું

અમદાવાદમાંથી ૨ દિવસીય કર્ફ્યું હટાવામાં આવ્યો છે ત્યારે હવે શહેરમાં માત્ર રાત્રિ કર્ફ્યુ જ લાગુ રહેશે. ત્યારે ૨ દિવસના કર્ફ્યુ બાદ આજે વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટમાં લોકોને ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે. જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યા ન હતા. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે.

કરફ્યૂ ખુલતા જ ચાની કીટલીઓ અને નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જો હજી પણ લોકો બેદરકારી દાખવશે તો કેસમાં વધારો થશે તેમજ જે લોકો માસ્ક નહીં પહેરે તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ સહિત ૩ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે.

Related posts

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી  હોટેલમાં સીડી પરથી પટકાતા યુવકનું થયું મૃત્યુ

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો