July 26, 2026
Other

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે કુલ ૨૦ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્‍યા હતા. તપાસ બાદ, શનિવારે ૭૧૯ ઉમેદવારોના નામાંકન સાચા મળી આવ્‍યા. બાહ્‍ય દિલ્‍હીના મુંડકા અને નાંગલોઈ જાટ વિધાનસભા મતવિસ્‍તારમાંથી મહત્તમ ત્રણ ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા છે. ૫૭ વિધાનસભા મતવિસ્‍તારમાંથી કોઈ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચ્‍યું નથી.

૫ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૦ માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કુલ ૬૬૮ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું હતું. એટલે કે આ વખતે કુલ ૩૧ વધુ ઉમેદવારો મેદાનમાં છે. ગઈ વખતે પણ સૌથી વધુ ઉમેદવારો નવી દિલ્‍હી વિધાનસભામાં હતા. ત્‍યારે દિલ્‍હીની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક પર અરવિંદ કેજરીવાલ સહિત ૨૯ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્‍યું હતું. ૨૦૧૫ની ચૂંટણીમાં ૬૭૩ ઉમેદવારો હતા. આનો અર્થ એ થયો કે છેલ્લી ત્રણ ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી લડશે.

નવી દિલ્‍હી વિધાનસભા મતવિસ્‍તારમાંથી કોઈ ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્‍યું નથી, તેથી અરવિંદ કેજરીવાલની બેઠક પર ૨૨ વધુ ઉમેદવારો પોતાનો દાવો રજૂ કરશે. કારણ કે કોઈપણ વિધાનસભા મતવિસ્‍તારમાં જ્‍યાં NOTA સહિત ૧૬ થી વધુ ઉમેદવારો હોય, ત્‍યાં બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવો પડે છે. તેથી, નવી દિલ્‍હી વિધાનસભા મતવિસ્‍તારમાં બે બેલેટ યુનિટ લગાવવા પડશે.

નવી દિલ્‍હી સિવાય, જનકપુરી એકમાત્ર વિધાનસભા મતવિસ્‍તાર હશે જ્‍યાં બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવો પડશે. જનકપુરી વિધાનસભામાં ઉમેદવારીપત્રો પાછા ખેંચ્‍યા બાદ હવે ૧૬ ઉમેદવારો બાકી રહયા છે.

કઈ વિધાનસભામાં સૌથી ઓછા ઉમેદવારો છે?

ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પછી, પટેલ નગર અને કસ્‍તુરબા નગર વિધાનસભા મતવિસ્‍તારમાં સૌથી ઓછા ઉમેદવારો, પાંચ-પાંચ, બાકી રહયા છે. કરોલ બાગ, ગાંધીનગર, તિલક નગર, ગ્રેટર કૈલાશ, માંગોલપુરી અને ત્રિનગર વિધાનસભા બેઠકો પર, મતદારોએ ૬ ઉમેદવારોમાંથી ફક્‍ત એક જ ઉમેદવારને મત આપવાનો રહેશે.

Related posts

રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા –રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Ahmedabad Samay

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

Ahmedabad Samay

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો