August 8, 2026
Other

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે મધ્યમ વર્ગને ભારતીય રિઝર્વ બેંક તરફથી આગામી ભેટ મળી શકે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી અથવા MPCની બેઠક 5 થી 7 ફેબ્રુઆરી વચ્ચે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. જો આમ થશે તો બેંકો પણ તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરશે.

હવે બધાની નજર આરબીઆઈ પર છે. જો RBI વ્યાજદરમાં ઘટાડો કરશે તો લોન સસ્તી થશે. જો લોન સસ્તી થશે તો મધ્યમ વર્ગ પર EMIનો બોજ ઘટશે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે RBI 7 ફેબ્રુઆરીએ મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. મોંઘવારી અને જીડીપી ગ્રોથના આંકડાને જોતા આરબીઆઈ માટે આ નિર્ણય લેવો મુશ્કેલ નહીં હોય.

છેલ્લા કેટલાક મહિનામાં ફુગાવાના આંકડામાં ઘટાડો થયો છે. બીજી તરફ આર્થિક વિકાસ પણ ધીમો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ માટે દરોમાં ઘટાડો કરવાનો આ યોગ્ય સમય છે એવું કહી શકાય.

Related posts

ભારત અને ઇંગ્લેન્ડ T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

Ahmedabad Samay

લોકસભા બેઠક રાજકોટ અપડેટ

Ahmedabad Samay

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

રાજ્યમાં 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા –રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કઈ રાશિ માટે રહેશે ધંધો રોજગાર સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો