August 8, 2026
Other

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે મધ્યમ વર્ગને ભારતીય રિઝર્વ બેંક તરફથી આગામી ભેટ મળી શકે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી અથવા MPCની બેઠક 5 થી 7 ફેબ્રુઆરી વચ્ચે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. જો આમ થશે તો બેંકો પણ તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરશે.

હવે બધાની નજર આરબીઆઈ પર છે. જો RBI વ્યાજદરમાં ઘટાડો કરશે તો લોન સસ્તી થશે. જો લોન સસ્તી થશે તો મધ્યમ વર્ગ પર EMIનો બોજ ઘટશે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે RBI 7 ફેબ્રુઆરીએ મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. મોંઘવારી અને જીડીપી ગ્રોથના આંકડાને જોતા આરબીઆઈ માટે આ નિર્ણય લેવો મુશ્કેલ નહીં હોય.

છેલ્લા કેટલાક મહિનામાં ફુગાવાના આંકડામાં ઘટાડો થયો છે. બીજી તરફ આર્થિક વિકાસ પણ ધીમો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ માટે દરોમાં ઘટાડો કરવાનો આ યોગ્ય સમય છે એવું કહી શકાય.

Related posts

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો