March 23, 2026
Other

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે મધ્યમ વર્ગને ભારતીય રિઝર્વ બેંક તરફથી આગામી ભેટ મળી શકે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી અથવા MPCની બેઠક 5 થી 7 ફેબ્રુઆરી વચ્ચે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. જો આમ થશે તો બેંકો પણ તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરશે.

હવે બધાની નજર આરબીઆઈ પર છે. જો RBI વ્યાજદરમાં ઘટાડો કરશે તો લોન સસ્તી થશે. જો લોન સસ્તી થશે તો મધ્યમ વર્ગ પર EMIનો બોજ ઘટશે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે RBI 7 ફેબ્રુઆરીએ મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. મોંઘવારી અને જીડીપી ગ્રોથના આંકડાને જોતા આરબીઆઈ માટે આ નિર્ણય લેવો મુશ્કેલ નહીં હોય.

છેલ્લા કેટલાક મહિનામાં ફુગાવાના આંકડામાં ઘટાડો થયો છે. બીજી તરફ આર્થિક વિકાસ પણ ધીમો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ માટે દરોમાં ઘટાડો કરવાનો આ યોગ્ય સમય છે એવું કહી શકાય.

Related posts

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

Ahmedabad Samay

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

સાબરમતી નદીમા યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ નોટ વાંચી પોલીસ અચંબામાં પડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો