અધર્મ માં ધર્મ
ધર્મ શું છે એની વ્યાખ્યા જો આપણે આપવા
જઇએ તો માત્ર બહેસ થાય. કોઈ સત્ય સુધી
કોઈ પહોંચી ન શકે કારણ કે દરેક વ્યક્તિ સાંભળેલી અને વાંચેલી વાતો જ કરશે. પણ
અનુભવ ની વાત તો ધ્યાન જાય તો પણ બહુ
મોટી વાત થઈ ગઈ ગણાય.
ધર્મ ની વાત તેજ કરી શકે જેને અધર્મ નો ખ્યાલ હોય અને અનુભવ પણ હોય.
જો બધીજ જગ્યા એ સત્સંગ ,કથા અને સારી વાતો થતી હોય. તો આ પૃથ્વી પર કોઈ ગરીબ,
કે કોઈ દુઃખી કે કોઈ માનસિક રીતે રિબાતું ન હોત.
ચાલો ધર્મ ની વ્યાખ્યા સમજીએ.
* ધર્મ ની વાતો કરનાર માતા પિતા વૃદ્ધાશ્રમ માં
ન હોત.
*ધર્મ નો વાતો કરનાર કોઈ ૧ અનાથ બાળકને ને
દત્તક લેતા તો કોઈ અનાથ આશ્રમ માં ન હોત.
* ધર્મ ની વાતો કરનાર જો એટલા બધા હોત તો
કોઈ કોઈ ની અવગણના પાછલ.થી ને કરતા
* ધર્મ ની વાતો કરનાર જો એટલા બધા હોત તો
બીજો બિન જરૂરી વાત પર ધ્યાન ન આપત.
* જો ધર્મ નો પ્રચાર કરનાર એટલા બધા હોત તો
ક્યાંય સમાજ માં નકારાત્મકતા ન. હોત.
સાચો ધર્મ સેવા
અને સૌથી મોટું અધર્મ બીજા ની
નિંદા કૂથલી.
* ધર્મ કરનાર શરીર ને મંદિર માને છે. જો એવું હોત
તો કોઈ વ્યસન કરતું ન હોત.
*. ક્યાંય તો કઈક કમી છે.
બીજાની ભૂલ કાઢવામાં કોઈ વાર નથી લાગતી.
અને પોતાની ભૂલ કાઢવામાં શરમ આવે છે.
અને આપને બધાજ તહેવાર શું પાન ,મસાલા,
ગુટખા, કે અન્ય કોઈ વ્યસન વગર શું
ઉજવીએ છીએ?
*. શું કોઈ પણ તહેવાર માં કોઈ ગરીબ ને
જમાડવાનું કાર્ય આપને કરીએ છીએ ?
સ્વયં ને પૂછીએ. જો સમય વ્યર્થ કાઢીએ તો
શું છે ધર્મ કે અધર્મ
*. અને સમય નો ઉપયોગ કરીએ એ ધર્મ કે
અધર્મ.
જો બધાજ ભારતીય આ રીતે ખોવાયા રહેશે
તો સ્વયં થી પરિચિત થવાનું ધ્યાન ચૂકી જશે.
*. જે જ્ઞાન બહાર ની દુનિયા ના સંપર્ક માં લાવે છે.
અને મોહ , માંયા માં જકડી રાખે છે અને ક્રોધ
ને જનમ આપે તે શું અધર્મ છે કે ધર્મ છે?
એક મ્યાન માં બે તલવાર ન રહે અને આપણે�
મોટિવેશન સ્પીકર એન્ડ રાઇટર: વિજય કોતાપકર
વધુ વાંચવા માટે કલીક કરો.
