August 7, 2026
ગુજરાત

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ આયોજન કરાયું

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું , શ્રી તુલજાભવાની મા ની શ્રી ગણેશજીની આરતી કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી, સ્નેહમિલન કાર્યક્રમ માં બાળકો અને યુવાનો દ્વારા સુંદર ડાન્સ અને તલવારબાજી પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું,

યુવાનો દ્વારા કરાઓકે ગીત ગાવવામાં આવ્યું હતું, વિધાર્થીઓને પ્રોત્સાહન વધારવા અને આગળ વધુ સારું અભ્યાસ કરે તે માટે ટ્રોફી અને સ્ટડી કીટ આપવામાં આવ્યા હતા,

વધુમાં સમાજને પોતાના વિચારો અને પરંપરા સાથે સંસ્કૃતિ સાથે સમાજ અને પરિવાર ચલાવનાર વરિષ્ટ નાગરિકોનો સન્માન કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં કુબેરનગર વોર્ડના કાઉન્સિલર શ્રી નિકુલસિંહ તોમર અને અમદાવાદ સમયના સહ તંત્રી શ્રી નીરજસિંહ ભદૌરીયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધાવી હતી, કાર્યક્રમ સમાજના બંધુઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થતી રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું,

ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રીમતી સંધ્યા દેવલેકરે અને જિલ્લા અધ્યક્ષ શ્રી સંજય દેવલેકરે ઉપસ્થિત સર્વે સમાજ બંધુ ઉપસ્થિત રહેવા બદલ, સમાજને સફળ બનાવવા માટે ડોનેશન કરેલ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યકરો નો કાર્યક્રમ કરેલ કાર્યોને બિરદાવી આભાર  વ્યક્ત કર્યો હતો અને સમાજ બંધુઓ વધુમાં વધુ સામજિક કાર્યમાં જોડાયે અને સમાજ એક કરવા તરફ આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.

Related posts

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં ભૂકંપના આચકા

Ahmedabad Samay

સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ તૂટી જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો

Ahmedabad Samay

અમદાવાદના ૦૭ વોર્ડમાં ૪૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો